Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૫૬ કેસ આવ્યા

Files Photo

ગાંધીનગર: ગુજરાતમાં હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૫૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં સાજા થવાનો દર પણ વધીને ૯૮.૬૧ ટકાએ પહોંચ્યો છે. આજે કોરોનાને કારણે ૧૯૬ દર્દીઓ સાજા થયાનું નોંધાયું છે. અત્યાર સુધી ૮,૧૨,૭૧૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું સુરતમાં મોત થયું હતું.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો ૧૩૫૬ કુલ કેસ છે. જે પૈકી ૮ લોકો વેન્ટીલેટર પર છે. ૧૩૪૮ લોકો સ્ટેબલ છે. ૮,૧૨,૭૧૮ લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. ૧૦૦૭૩ લોકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. જાે કે આજે કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અત્રે નોંધનીય છે કે, ગત સતત બીજા દિવસે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.

ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૨, સુરત કોર્પોરેશનમાં ૧૦, વડોદરા કોર્પોરેશનમાં ૫ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.