Western Times News

Gujarati News

પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની હત્યા કરી નાખી

Files Photo

ભુવનેશ્વર: ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભીમાટંગીમાં એક પરિણીત મહિલાની હત્યા કર્યા બાદ બોયફ્રેન્ડે પણ આત્મહત્યાની કોશિશ કરી હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. જાેકે, મકાન માલિકને જાણ થતાં બંનેને હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં ડોક્ટરોએ પરિણીત પ્રેમિકાને મૃત જાહેર કરી હતી અને પ્રેમીની વધુ સારવાર શરુ કરતા તેનો જીવ બચી ગયો હતો. જાેકે, બંને વચ્ચે એવું તો શું બન્યું જેના કારણે પ્રેમીએ આવી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ભીમાટંગીના જાજપુરના જગન્નાથ પ્રધાનને થોડા વર્ષો પહેલા પ્રિયંકા પ્રિયદર્શિની સાહુ સાથે પરિચય થયો હતો. અને પ્રિયંકા નામની યુવતીને પોતાના લગ્ન પહેલા જજગન્નાથ સાથે પરિચય હતો અને બાદમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો.

જાેકે, ૨૦૧૪માં પ્રિયંકાના લગ્ન રાકેશ સાહુ સાથે થયા હતા. રાકેશ અને પ્રિયંકાને ત્રણ વર્ષનો પુત્ર છે. રાકેશ યુરેકા ફોર્બ્સમાં નોકરી કરે છે. જાેકે, લગ્ન દરમિયાન ઘરમાં એકલી રહેતી પ્રિયંકાએ જગન્નાથ પ્રધાન સાથે ફરીથી પરિચય કેળવ્યો અને જૂનો પ્રેમ તાજાે થયો હતો. છેલ્લા ત્રણ હિનાથી પ્રિયંકા પતિની જાણ બહાર દિવસેને રાત્રે વોટ્‌સ એપ અને ફેસબુક ઉપર જગન્નાથ સાથે વાતો કરતી હતી. આ વાતથી પ્રિયંકાનો પતિ રાકેશ અજાણ હતો. જગન્નાથ પ્રધાન અને પ્રિયંકા સમય-સમય પર વોટ્‌સએપ ઉપર વાતો કરીને ચેટ ડિલિટ કરી નાંખતા હતા.

જાેકે, એક બીજાના સંપર્કમાં રહેલા બંને વચ્ચે શું બન્યું તે જાણી શકાયું નથી પરંતુ જગન્નાથ પ્રધાને પ્રિયંકા અને તેના પુત્રની હત્યા કરવાની કાવતરું ઘડ્યું હતું. જ્યારે રાકેશ ઘરે ન હતો. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા ઘરે હતી અને રાકેશ તેમજ તેનો ત્રણ વર્ષનો પુત્ર ઘરે ન હતો. આ સમયે જગન્નાથ તેના ઘરે આવ્યો અને પ્રિયંકાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ પોતાની હાથની નશ કાપીને જગન્નાથે આત્મહત્યાની કોશિશ કરી હતી. મકાન માલિક ઘરે આવ્યો ત્યારે જગન્નાથ અને પ્રિયંકા અલગ અલગ રુમમાં પડ્યા હતા.

જેથી બંન્નેને હોસ્પિટલ લઈ જવાયા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ પ્રિયંકાને મૃત જાહેર કરી હતી. જ્યારે જગન્નાથને સારવાર આપવામાં આવી હતી. જેનાથી તેની હાલત સુધારા પર હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસને જગન્નાથે લખેલી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં પ્રિયંકા અને પુત્રની હત્યા કરશે એવું લખ્યું હતું. પોલીસે જગન્નાથ સામે ગુનો નોધીને વધુ તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.