Western Times News

Gujarati News

યોગી સરકારના રાજમાં માફિયા અને ગુંડા રાજ નષ્ટઃ વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને ૧,૫૮૩ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે બીએચયુ ગ્રાઉન્ડમાં લોકોને સંબોધિત કરતાં રાજ્યના CM યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા.

છેલ્લા ઘણા દિવસોમાં નેતૃત્વ પરિવર્તન અને યુપી સરકારમાં ઘણા મોટા ફેરબદલ થશે તે વાતને ખોટી સાબિત કરી દીધી છે.મુખ્યમંત્રી યોગીને તેમણે એકદમ કર્મઠ અને લોકપ્રિય નેતા ગણાવતા તેમણે કોરોના સંકટથી લડવામાં યોગી સરકાર દ્વારા કરેલ કામના ઘણા વખાણ કર્યા છે.

પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પોતાના દરેક કામ જાતે જ સંભાળે છે, તે દરેક કામ પર એકદમ બારીકાઈથી નજર રાખે છે. કાશીથી દૂરના વિસ્તારોમાં પણ થતાં કામોમાં તેઓ ઘણું ધ્યાન આપે છે. વડાપ્રધાને આગળ વધુમાં કહ્યું કે યોગી સરકારના રાજમાં માફિયાઓ અને ગુંડા રાજ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે.

પોતાના આક્રમક અંદાજમાં તેઓ બોલ્યા કે આજે બહેન દીકરીઓ પર નજર ઉઠાવવા વાળા લોકોને ખબર છે કે તેઓ કાયદા કાનૂનથી બચી નહીં શકે. આજે યુપી સરકાર ભ્રષ્ટાચારથી અને ભાઈ ભત્રીજાવાદથી નહીં પણ વિકાસવાદથી ચાલી રહ્યું છે. એટલે જ આજે યુપીમાં જનતાની યોજનાઓનો લાભ સીધો જ જનતાને મળે છે.

મોદીને કહ્યું ક યુપીમાં જે રીતે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ફેલાતા અટકાવ્યું છે તે એકદમ અભૂતપૂર્વ છે. પોતાના પ્રયાસોમાં કોઈ કસર રાખી નથી. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયું છે. મફત વેક્સીન આપવામાં આવી રહી છે. દરેક જિલ્લમાં બાળકો માટે ઓક્સિજન અને આઇસીયૂ જેવી સુવિધાઓ ચાલુ કરવાનું બીડું ઉત્તર પ્રદેશ સરકારે ઉઠાવ્યું છે તે પણ પ્રશસંનીય છે. સ્વાસ્થ્ય સુવિધાઓ પર કામ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.