Western Times News

Gujarati News

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ૯ દિવસ મેગા કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની ઉજવણી કરવા માટે તડામાર તૈયારી કરવામાં આવનાર છે મહત્વનું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૭ ઓગષ્ટ, ૨૦૧૬ના રોજ ૧૬માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આગામી ૭ ઓગસ્ટે તેમનો ૫ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે ૧ થી ૯ ઓગસ્ટ સુધી ભવ્ય કાર્યક્રમો યોજી મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાંચ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી કરવામાં આવનાર છે.

આ ઉજવણી ૧ ઓગસ્ટથી લઈ ૯ ઓગસ્ટ દરમિયાન ચાલશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે એવુ મનાઈ રહ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કે મહાત્મા મંદિર ખાતે મેગા ઈવેન્ટનું આયોજન કરાઈ શકે છે જ્યારે આ કાર્યક્રમ દરમિયા ૫૦ હજાર યુવાનોએ રોજગાર પત્ર પણ એનાયત કરવામાં આવશે.

મહત્વનું છે કે તાજેતરમાં જ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં સંગઠનના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હાત તેમા આ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે આ બેઠકમાં ૫ વર્ષના કાર્યકાળને પ્રજા સમક્ષ લઈ જવા માટે ઉજવણી કરાશે, તેવું મનાઈ રહ્યું છે. એટલું નહીં આગામી સમયામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થનાર છે

ત્યારે પ્રજા સમક્ષ સરકારની છબી સ્વચ્છ કરવા અને સુધારવાનો પ્રસાય પણ કરવામાં આવી શકે છે કોરોના કાળમાં આરોગ્યની સુવિધાઓને અસર થઈ હતી જેને લઈ પ્રજામાં સરકાર પ્રત્યે રોષ જાેવા મળી રહ્યો હતો. જાે કે મુખ્યમંત્રી કાર્યકાળમાં મુખ્યમંત્રી તરીકે અનેક મહત્વ પૂર્ણ ર્નિણયનો લીધા છે અને પ્રજા સમક્ષ સરકાર સંવેદનશીલ સરકાર તરીકેની છબી ઉભરી આવી છે. રૂપાણી સરકારમાં પાંચ વર્ષ પૂર્ણ થવા પર સરકાર દ્વારા ૯ દિવસ સુધી રંગે ચંગે કાર્યક્રમો યોજી પાંચ વર્ષના મુખ્યમંત્રી તરીકેના સફળ કાર્યક્રમને વધાવી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે જે ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી ચાલશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.