Western Times News

Gujarati News

ગુજરાતમાં દરરોજના ત્રણથી ચાર લાખ નાગરિકોને ડોઝ અપાય છે

Files Photo

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને ધોરણ ૯ થી ૧૧ ના શાળા શરૂ કરવા માટે અંગે અનેક ચર્ચાઓ કરાઈ હતી. ત્યારે કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી છે. જેના કારણે વધારાનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં દરરોજના ત્રણથી ચાર લાખ નાગરિકોને ડોઝ આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, ગઈ કાલે અને આજે કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા થઇ એ પ્રમાણે ગુજરાત સરકાર પાસે પંદર લાખ કરતાં વધુ જથ્થો પ્રાપ્ય છે. દરરોજના અઢી લાખ જેટલો નવો જથ્થો આવી જાય છે. તેથી વેપારીઓ માટે ગૃહ વિભાગ તરફથી જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, ૩૧ જુલાઇ સુધીમાં વેક્સિન વેપારીઓએ મેળવી લેવાની રહેશે. આજે કેબિનેટમાં ખાસ કિસ્સા તરીકે ર્નિણય કર્યો છે કે, રવિવારે વેપારીઓ અને કર્મચારીઓએ ૩૧ તારીખ પહેલાં વેક્સિન લેવાની રહેશે.

માર્કેટયાર્ડ, દુકાનો, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સહિતના વેપારીઓને અને કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. તમામ વાણિજ્ય હેતુથી ચાલતા વેપાર ધંધાનો સમાવેશ કરાયો છે. રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સિનેમા ગૃહો, હોટલ, સ્વીમિંગ પુલમાં કામ કરતા કર્મચારીઓને, ખાનગી ક્ષેત્રમાં ધંધાકીય હેતુ કાર્યરત છે તેવા તમામને વેક્સિનેશન મેળવવું જરૂરી છે. આ રવિવારે આ વર્ગના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. ૧૮૦૦ સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.