Western Times News

Gujarati News

કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો બચાવ કરતા અમિત ચાવડા

File

ગાંધીનગર: કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરીને લઇ હવે ચર્ચાઓ જાેર પકડ્યું છે. કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસના જ કાર્યક્રમમાં ગેરહાજર રહે છે. આજે યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં પણ હાર્દિક પટેલ હાજર ન હતા. અગાઉ પણ અનેકવાર હાર્દિક પટેલ નથી રહ્યા. રાજ્યપાલ સાથે મુલાકાત સમયે પણ હાર્દિક પટેલ ગેરહાજર હતા. અને કોંગ્રેસના જનચેતના કાર્યક્રમમાં પણ હાર્દિક ઉપસ્થિત રહ્યાં ન હતા.ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પૂછતા તેઓએ કહ્યું,

પાર્ટીઓમાં અલગ-અલગ નેતાઓને જવાબદારી હોય છે. અગાઉના કાર્યક્રમના કારણે નેતાઓ હાજર ના પણ રહે. તેઓએ કહ્યું કે નેતાઓ અલગ-અલગ ઝોનમાં કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ શકે છે.આથી સામેલ ન પણ થઇ શકે

એ યાદ રહે કે તાજેતરમાં એવી અટકળો લાગી હતી કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ શકે છે પાટીદાર આગેવાનો તાજેતરમાં આપમાં સામેલ થયા છે અને હાર્દિક પણ તેમાં સામેલ થાય તેવી ચર્ચા હતી

પરંતુ હાર્દિક પટેલે આ વાતનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે હું કોંગ્રેસ છોડીને કયાંય જવાનો નથી જાે કે તેઓ કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજર ન રહેતા અનેક તર્ક વિતર્કો લાગી રહી છે.જાે કે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે વિવિધ જવાબદારીઓને કારણે કાર્યક્રમમાં હાજર ન રહે તે સ્વાભાવિક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.