Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ બારાબંકીની દુર્ઘટના અંગે દુખ વ્યકત કર્યું

નવીદિલ્હી: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગત રાતે ભીષણ દુર્ધટનામાં ૧૮ લોકોના મોત નિપજયા હતાં અને અન્ય ૧૯ લોકોને ઇજા પહોંચી હતી. ઇજા પામેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યકત કર્યું ે.

વડાપ્રધાને ટ્‌વીટ કર્યું કે યુપીના બારાબંકીમાં થયેલ દુર્ઘટનાના અહેવાલોથી દુખી છું શોકાકુલ પરિવારોની સાથે મારી સંવેદના. યોગીજી સાથે વાત થઇ છે તમામ ઇજા પામેલા સાથીઓને યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દરમિયાન પીએમઓએ માહિતી આપી છે કે વડાપ્રધાન મોદીએ યુપીના બારાબંકીમાં થયેલ દુર્ધટનામાં જાન ગુમાવનારા પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા અને ઇજા પામેલા લોકોને ૫૦-૫૦ હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે

દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે ઉડા શોકની લાગણી વ્યકત કરી હતી અને ઇજા પામેલા લોકોને તાકિદે સારવાર મળી રહે તે માટે નિર્દેશો જારી કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.