Western Times News

Gujarati News

ડાયરેકટર ઓફ પ્રોસિક્યુસનની કચેરીમાં નાયબ નિયામકની નિમણુક

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) રાજયની ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ખાતે એડવોકેટ રાકેશ રાવની નાયબ નિયામક તરીકે નિમણુક કરવામાં આવી છે.

કાયદો અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લિટિગન્ટ્‌સને સરળતાથી, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે પ્રોસિક્યુશન મજબુત થાય તેવા ઉદેશ્યથી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની રચના કરવામાં આવેલ છે

અને ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું માળખું મજબુત બને અને તેની કામગીરી સુપેરે થઇ શકે તેવા હેતુસર આજ રોજ રાકેશ રાવની નાયબ નિયામક તરીકે નિમણુક કરવામાં આવેલ છે.

મંત્રીએ ઉમેર્યું હતુ કે કાયદા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીનું માળખું બનાવવાના કારણે ગંભીર પ્રકારના કેસોની ઓળખ કરી, પીડીતપક્ષને યોગ્ય રીતે સાચો ન્યાય મળે તેવા પ્રયત્નો રાજય સરકાર કરી રહી છે. અને ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા કેસોનું યોગ્ય મોનિટરિંગ થવાના કારણે ફરિયાદ પક્ષને ઝડપથી ન્યાય મળી રહશે.

મંત્રીએ જણાવ્યું હતું કે અગાઉ ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશન તરીકે પરેશભાઇ ધોરા અને ત્યાર બાદ નાયબ નિયામક તરીકે જગરુપસિંહ રાજપુતની નિમણુક બાદ હવે રાકેશ રાવની નિમણુકથી ડાઇરેકટર ઓફ પ્રોસિક્યુશનની કામગીરીમાં વેગ આવશે તેમજ કન્વીકશન રેટ ઉંચો આવશે જેનો અંતિમ લાભ પ્રોસિક્યુશનપક્ષને મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.