Western Times News

Gujarati News

માણાવદરના કામદાર સોસાયટીમાં બંધ મકાનમાંથી ૧.૪૨ લાખની મતાની ચોરી

(પ્રતિનિધિ)માણાવદર, માણાવદરના ગાયત્રી મંદિર પાછળ આવેલ કામદાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ અરવિંદભાઈ વાજા ઉંમર વર્ષ ૩૦ એ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે કે તેઓ ૩-૯ થી ૪-૯ દરમિયાન બહારગામ ગયેલ હોય જેથી મકાન બંધ હતું.

જેમાં કોઈ તસ્કરોએ તાળું તોડી ઘરમાં રહેલ ૩૭ હજાર રોકડા તથા સોનાની બુટી જાેડી બે, સોનાની વીંટી નંગ ચાર, સોનાનો પેન્ડલ નંગ એક, ચાંદીના શાકરા જાેડી એક, ચાંદીની બંગડી જાેડી બે, ચાંદીની ઝાંઝરી એક, સોનાના દાગીના અને રોકડ મળી કુલ ૧.૪૨ લાખ ની ચોરી થયાની પોલીસ ફરિયાદમાં લખાવેલ છે આ અંગે માણાવદર પીએસઆઇ એસ. એન. સગારકા દ્વારા સઘન તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.