Western Times News

Gujarati News

૧૦૦થી વધુ સ્કાય સ્ટ્રાઈકર લેવા સેનાનો ઈઝરાયલ સાથે કરાર

નવી દિલ્હી, પુલવામા આતંકી હુમલા પછી ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રકારના મિશન ભારતીય સેના માટે ભવિષ્યમાં પણ વધારે સરળ રહેશે.

આવનારા દિવસોમાં ભારતીય સેના Sky StrikerÚke સજ્જ હશે. જે એર સ્ટ્રાઈક જેવા ઓપરેશનને અંજામ આપવામાં મદદ કરશે. તે આત્મઘાતી ડ્રોનની જેમ કામ કરે છે અને વિસ્ફોટકો દ્વારા લક્ષ્યને ખત્મ કરી શકે છે.

રિપોર્ટ પ્રમાણે ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ જે રીતે ૨૦૧૯માં બાલાકોટમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરી હતી. તેવી જ રીતે હવાઈ હુમલા માટે ભારતીય સેના પોતાને મજબૂત કરવા માગે છે.

આથી સેનાએ ૧૦૦થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે એક ડીલ કરી છે. બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે.

એલ્બિટ સિક્યોરિટી સિસ્ટમ્સ જણાવ્યા પ્રમાણે સ્કાય સ્ટ્રાઈકર એક ફરતું હથિયાર છે જે લાંબા અંતર સુધી સટીક અને સામરિક હુમલો કરવામાં સક્ષમ છે. કરાર પ્રમાણે આ સ્કાય સ્ટ્રાઈકરનું નિર્માણ બેંગલુરુમાં કરવામાં આવશે. જેનો ઉપયોગ બાલાકોટ જેવા મિશનમાં કરવામાં આવી શકાય છે. આ સશસ્ત્ર ડ્રોન સેનાની ફરતી યુદ્ધ સામગ્રીની આવશ્યકતાને પૂરી કરશે.

આ એક પ્રકારનું માનવરહિત હવાઈ વિમાન છે. જે વિસ્ફોટક વોરહેડની સાથે લાઈન ઓફ વિઝન ગ્રાઉન્ડ લક્ષ્યો સાથે સંલગ્ન કરવા માટે બનાવવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સીઆરપીએફના એક કાફલા પર આત્મઘાતી હુમલાનો બદલો લેવા માટે ૧૨ દિવસ પછી ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ ૨૬ ફેબ્રુઆરી ૨૧૦૯ની સવારે ૩ઃ૩૦ કલાકે બાલાકોટમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. તેને બાલાકોટ એર સ્ટ્રાઈકના નામથી ઓળખવામાં આવે છે.

હવાઈ હુમલા માટે ભારતીય સેના પોતાને મજબૂત કરવા માગે છે. આથી સેનાએ ૧૦૦થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની ડીલ કરી છે. બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે.

આલ્ફા ડિઝાઈનના સંયુક્ત યુનિટને ભારતીય સેનાના કરાર ઉપરાંત ભારતીય વાયુસેના પાસેથી પણ બે વધુ રક્ષા કરાર મળ્યા છે. પહેલાં કરારમાં ૬ અતિ ઉચ્ચ ક્ષમતાવાળા રડારનો સમાવેશ થાય છે. ભારતીય વાયુ સેના લાંબા અંતરનું રડાર પી-૧૮નું સંચાલન કરી રહી છે. જેની મર્યાદા ૨૦૦ કિલોમીટર સુધી છે.

નવા રડાર ભારતીય વાયુસેનાની બાજ નજરની ક્ષમતાને વધારશે. બીજાે કરાર દોસ્ત કે દુશ્મનની ઓળખ કરનારી ૬૦ સિસ્ટમ માટે કરવામાં આવે છે. જેને જમીની રડારની સાથે એકીકૃત કરવામાં આવશે. ડીઆરડીઓ અંતર્ગત સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ્સે તેને વિકસિત કર્યું છે. તેના પછી આ ટેકનોલોજી આલ્ફા, બીઈએલ અને ડેટા પેટર્ન કંપનીઓને સ્થાનાંતરિત કરવામાં આવી છે.SSS

 

સ્કાય સ્ટ્રાઈકર કેવી રીતે કામ કરે છે
પુલવામા આતંકી હુમલા પછી ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રકારના મિશન ભારતીય સેના માટે ભવિષ્યમાં પણ વધારે સરળ રહેશે. આવનારા દિવસોમાં ભારતીય સેના જીાઅ જીંિૈાીથિી સજ્જ હશે. જે એર સ્ટ્રાઈક જેવા ઓપરેશનને અંજામ આપવામાં મદદ કરશે. સ્કાય સ્ટ્રાઈકર કેવી રીતે કામ કરે છે તે નીચે મુજબ છે.
– સ્કાય સ્ટ્રાઈકર એક આત્મઘાતી ડ્રોનની જેમ કામ કરે છે. જે વિસ્ફોટકોની સાથે લક્ષ્યને મારીને પોતે પણ નષ્ટ થઈ જાય છે
– તે ૫ કિલો વોરહેડની સાથે નિર્દિષ્ટ લક્ષ્યોની માહિતી મેળવીને તેના પર હુમલો કરી શકે છે
– તે ખૂબ જ ધીમા અવાજની સાથે ઓછી ઉંચાઈ પર ઉડી શકે છે, જે તેને મૌન, અદ્રશ્ય અને આશ્વર્યજનક હુમલાખોર બનાવે    છે
– તેની મારક ક્ષમતા લગભગ ૧૦૦ કિલોમીટર સુધી હશે, પરંતુ આ જીાઅ જીંિૈાીિ ૨૦ કિલોમીટર દૂર સ્થિત લક્ષ્ય ક્ષેત્ર સુધી ૧૦    મિનિટમાં પહોંચીને મિશનને અંજામ આપીને પાછું ફરી શકે છે
– લોન્ચ કરતાં પહેલાં તેને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પર લોડ કરવામાં આવે છે
– તેનો પોતાના લક્ષ્યને મારવાનો પ્રકાર પણ અલગ છે. કેમ કે તે ઉડાન ભર્યા પછી પહેલાં લક્ષ્યને ચારેબાજુ ચક્કર લગાવે છે         અને પછી ગ્રાઉન્ડ કંટ્રોલ રૂમની મંજૂરી મળ્યા પછી લક્ષ્ય પર ટાર્ગેટ કરે છે
– તેને લોન્ચ કર્યા પછી ગ્રાઉન્ડ કંટ્રોલ રૂમ લક્ષ્ય પણ બદલી શકે છે અને કોઈપણ મિશનને રદ કરીને તેને પાછું પણ બોલાવી       શકે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.