Western Times News

Gujarati News

પાંચમી ટેસ્ટના આગલા દિવસે ક્રિકેટર્સ રાતે ૩ વાગ્યા સુધી જાગ્યા

લંડન, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટને લઈને ભારતના પૂર્વ વિકેટ કીપર અને કોમેન્ટેટર દિનેશ કાર્તિકે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે, ચોથી ટેસ્ટ બાદ ભારતના ખેલાડીઓ બહુ થાકી ચુક્યા હતા. પરેશાનીમાં વધારો ત્યારે થયો હતો જ્યારે સપોર્ટ સ્ટાફમાં કોરોનાથી બચેલા એક માત્ર ફિઝિયો યોગેશ પરમારને પણ કોરોનાનુ સંક્રમણ લાગી ગયુ હતુ.

ટેસ્ટ મેચ રમાશે કે નહીં તેની મૂંઝવણમાં આગલા દિવસે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો રાત્રે ૩ વાગ્યા સુધી જાગતા રહ્યા હતા. દિનેશ કાર્તિકનુ કહેવુ હતુ કે, મેં પોતે ભારતના કેટલાક ખેલાડીઓ સાથે વાત કરીને સમજવાની કોશિશ કરી હતી કે, ખેલાડીઓ પાંચમી ટેસ્ટ રમવા માટે મેદાન પર ઉતરવા કેમ તૈયાર નથી.

તે વખતે મને ખબર પડી હતી કે, ખેલાડીઓ થાકેલા હતા અને તેમની પાસે માત્ર એક જ ફિઝિયો હતો અને તે પણ કોરોનાના સપાટામાં આવી જતા સમસ્યા વધી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ મેદાન પર ઉતરવા તૈયાર નહીં હોવાથી પાંચમી ટેસ્ટ રદ થઈ જતા ચાહકોએ પણ આંચકો અનુભવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.