Western Times News

Gujarati News

ચંદીગઢ-મનાલી હાઇવે પર ભૂસ્ખલન, વાહનવ્યવહાર ઠપ્પ

મનાલી, હિમાચલ પ્રદેશમાં સતત વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નહેરુ કુંડ પાસે પણ ભૂસ્ખલન થયું હતું, જેમાં પર્વત પરથી એક મોટો ખડક પડ્યો હતો અને રસ્તો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. રસ્તાની બંને બાજુ વાહનો ફસાઈ ગયા હતા.

માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર અને માર્ગ વ્યવસ્થાપનની ટીમોએ રસ્તો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું છે. એક વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે બંધ થવાના કારણે મનાલી અને લાહૌલ વચ્ચે વાહનોની અવરજવર પર અસર પડી હતી. પુનઃસ્થાપિત કરવા માટે મશીનો લગાવવામાં આવ્યા છે અને મજૂરો પણ કામ કરી રહ્યા છે.

ઘટના સ્થળે કારમાં સવાર મુસાફરોએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે બ્લોક થવાને કારણે તેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી છે અને મોડી રાતથી કેટલાક વાહનો રસ્તાની બંને બાજુએ અટવાઇ ગયા છે.

અમારા માટે ખૂબ જ મુશ્કેલીનો સમય છે કે, ચંદીગઢ-મનાલી-લેહ રોડ પર મનાલી નજીક એક વિશાળ ખડક પડી જવાને કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે.રસ્તો સાફ કરવામાં રોકાયેલા કર્મચારીએ કહ્યું કે, બુધવારની રાત્રે વરસાદના કારણે રસ્તા પર પહાડ પરથી ખડકો પડી ગયા અને રસ્તાને નુકસાન થયું હતું.

શિમલા નજીક પણ ભૂસ્ખલન આ અગાઉ હિમાચલમાં શિમલાના મેહલી-શોગી બાયપાસ રોડ પર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે વહીવટીતંત્રે વાહનોની અવરજવર માટે રસ્તો બંધ કરી દીધો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.