Western Times News

Gujarati News

ઉત્તરાખંડના રાજકારણમાં ફરી એક વખત દલિત વોટ બેંકનું રાજકારણ ગરમાયું

દહેરાદૂન, ચરણજીત સિંહ ચન્નીને પંજાબમાં મુખ્યમંત્રી બનાવ્યા બાદ હવે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં દલિત કાર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. ઉત્તરાખંડમાં પણ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પંજાબના આ દલિત ચહેરાને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે.

પરિવર્તન યાત્રાના સમાપન વખતે હરીશ રાવતે ફેરુપુર ખાતે પોતાના સંબોધનમાં દલિત ચહેરાનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ ઉત્તરાખંડના રાજકારણમાં ફરી એક વખત દલિત વોટ બેંકનું રાજકારણ ગરમાયું છે.

ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ તારાઈ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. કેન્દ્રની ભાજપ સરકાર સામે ખેડૂતોની નારાજગીનો લાભ કોંગ્રેસ પહેલેથી જ લેવાનો પ્રયાસ કરી રહી છે.

ખેડૂતો ઉપરાંત હવે કોંગ્રેસે તારાઈના દલિત મતદારોને આકર્ષવાનું શરૂ કર્યું છે. હરીશ રાવતે હરિદ્વારમાં દલિત કાર્ડ રમ્યું હરીશ રાવત પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના દલિત ચહેરાને લઈને ઉત્તરાખંડના લોકો પાસેથી બદલાવની માંગ કરી રહ્યા છે. દલિત મતની મદદથી કોંગ્રેસ હરિદ્વાર, યુએસ નગર, તારાઈના દહેરાદૂનમાં પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આ માટેનો સમય જાેઈને હરીશ રાવતે હરિદ્વારમાં દલિત કાર્ડ રમ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હરિદ્વારમાં સૌથી વધુ દલિત મતદારો છે.ઉત્તરાખંડમાં ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૩ બેઠકો અનુસૂચિત જાતિ અને ૨ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ઉત્તરાખંડમાં ૧૮ થી ૨૦ ટકા દલિત મતદારો છે. જેનો પ્રભાવ ૨૦ થી વધુ વિધાનસભા બેઠકો પર રહે છે. તે સ્પષ્ટ છે કે, હરીશ રાવતની નજર આ બેઠકો પર છે.

છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં દલિત મત ભાજપ, કોંગ્રેસ અને બસપા વચ્ચે વહેંચાયેલા હતા. આ વખતે આમ આદમી પાર્ટી દલિત મતમાં તોડી શકે છે. ૨૦૧૨ અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં બસપાનું ખાતુ પણ નહોતું ખુલ્યું બસપાની અસર દલિત વોટ બેંક પર સૌથી વધુ જાેવા મળી રહી છે, પરંતુ છેલ્લી ચાર વિધાનસભા ચૂંટણીમાં બસપાનું પ્રદર્શન કથળી રહ્યું છે.

વર્ષ ૨૦૧૨થી દલિત મતદારો ભાજપ અને કોંગ્રેસ તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં હરિશ રાવત હરિદ્વાર અને અન્ય જિલ્લાઓમાં દલિત કાર્ડ દ્વારા મત આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતનું દલિત કાર્ડ ભાજપ માટે નવો પડકાર ઉભો કરી રહ્યું છે. પહેલાથી જ ખેડૂતોના વિરોધનો સામનો કરી રહેલી ભાજપ હવે દલિત મતો સરકી જવાની દહેશતનો સામનો કરી રહી છે. હરીશ રાવતના દલિત કાર્ડ બાદ ભાજપ તરત જ સક્રિય સ્થિતિમાં આવી ગયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.