Western Times News

Gujarati News

સાયલા ના નાગડકા ગામે જમીન ની તકરારમાં ફાયરીંગ યુવાનની હત્યા

સુરેન્દ્રનગર, સાયલા તાલુકાના નાગડકા થી બોટાદ તરફ રવિવારે જતાં બોલેરો કારચાલક કાઢી દરબાર ને કાર લઈને આવેલાં બે અજાણ્યા સાથે પેરોલ જપ મા ફરાર આરોપીએ તમંચા જેવા હથિયાર થી ફાયરીંગ કરી ને મોત નિપજાવીને નાશી છુટેયા હતાં યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી આ બાબતે જમીન ની તકરાર માં હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સાયલા ના નાગડકા ના વતની અંદાજે ૩૬ વર્ષ ના ચાપરાજભાઇ ભીખુભાઇ બોરીચા પોતાની બોલેરો કાર લઈને તા. ૨૬ સપ્ટેમ્બર ને રવિવારના સવારે બોટાદ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન નાગડકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પુર ઝડપે આવતી કારમાં બેઠેલા ૩ શખ્સ મા છેડાવાળા લખભાઇ પંજભાઇ ખાચર ઉર્ફે. લખુ આપાએ બોલેરો કાર રોકાવી હતી અને ચાપરાજભાઇ ઉપર લખુભાઇએ પોતાની પાસે રહેલા તમંચા જેવા હથિયાર થી ફાયરીંગ કર્યું હતું જેમાં ચાપરાજભાઇ ને ખંભાની નીચે જીવલેણ ઈજા થતાં પોતાની બોલેરો કાર મા ઢળી પડતાં મોત થયું હતું..

જ્યારે કાર લઈને આવેલાં લખુભાઇ અને બે અજાણ્યા શખ્સો નાસી છુટ્યા હતાં આ બાબતે પરિવાર જનોને જાણ થતાં લાશ ને સાયલા દવાખાને લઈ જવામાં આવી હતી. ધજાળા પોલીસ ને જાણ થતાં પીએસઆઇ ઝેડ. એલ. ઓડેદરા સહિત પોલીસ કર્મીઓ સાયલા દોડી આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ આરોપી લખુભાઇ પેરલ જંપતા ફરાર આરોપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બાબતે વધુ તપાસ શરુ કરી ને આરોપી ને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. બે સંતાનો ના પિતાની હત્યા થતાં પરિવારજનો મા આકંદ ફેલાયો હતો પોલીસને પ્રાથમિક તપાસમાં જમીન બાબતની તકરારમાં હત્યા થયાનું માનવામાં આવી રહ્યું છે લાશને પેનલ ટીમ સાથે પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી આ બાબતે ધજાળા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જમીન ની તકરાર માં યુવાન ની હત્યા થય હોવાનું પોલીસ ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.