Western Times News

Gujarati News

નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે: હવામાન વિભાગ

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા વરસાદે આખરે આજે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી ૫ દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. જાેકે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી ૪૦૦ કિમી દૂર નીકળી ગયુ છે. તેથી હવે શાહીનનો ખતરો ટળી ગયો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ૧૨ કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. ૬ ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે ૨ ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રમાં ૨૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.