Western Times News

Gujarati News

ધો.૧થી ૫ની સ્કૂલો દિવાળી પહેલા જ શરૂ કરી દેવાશે: શિક્ષણમંત્રી

રાજકોટ, રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ખોડલધામના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. તેમણે કહયું હતું કે, ધો.૧થી ૫નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા તૈયારી થઈ રહી છે. દિવાળી પહેલા પ્રાથમિક શાળાઓ શરૂ થઈ જશે. જાે કે, ફી માળખા અંગેના સવાલમાં તેઓએ અજાણ હોવાનું જણાવ્યું હતું.

આ તકે તેમણે એમ પણ કહયું હતું કે, ૨૫ ઓક્ટોબરે શિક્ષણ વિભાગ ખાદી દિવસની ઉજવણી કરશે અને આ દિવસે શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ સહિત તમામ લોકો ખાદી પહેરીને કામકાજ કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.