કાશ્મીરમાં જૈશ-એ-મહોમ્મદનો ટોપ કમાન્ડર ઠાર
જમ્મુ, જમ્મુ કાશ્મીરમાં બે દિવસ અગાઉ સેનાના ૫ જવાનો શહિદ થયા હતા ત્યારબાદ હવે સેના કાશ્મીરમાં એક્શન મોડમાં જાેવા મળી રહી છે. આજે સેના દ્વારા અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં જૈશ-એ-મહોમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કરવામાં આવ્યો છે. જેથી કહી શકાય કે જૈશના ટોપ કમાન્ડરને ઠાર કરીને સેનાને મોટી સફળતા હાથ લાગી છે.
અગાઉ ગઈકાલે પણ કાશ્મીરમાં સેના દ્વારા કુલ ૬ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સેનાના ૫ જવાનો શહિદ થયાને ૨૪ કલાકમાંજ સેનાએ ૬ આંતકીઓ ને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા.જૈશના ટોપ કમાન્ડ઼રને ઠાર કર્યા બાદ ત્રાલના તિલવાની વિસ્તારમાં તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારે સેનાને ખ્યાલ આવ્યો કે તેમણે જૈશના ટોપ કમાન્ડર શામ સોફીને ઠાર કર્યો છે.
પોલીસે અને સેનાને ખાલી બાતમી મળી હતી કે તે જગ્યાએ અમુક શંકાસ્પદ આતંકીઓ છુપાયેલા છે. જેથી બાતમીને આધારે સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઓપરેશન હાથ ધરતા પહેલા સેના દ્વારા પહેલા યોજના બનાવામાં આવી હતી. જેને લઈને તેમણે સ્પેશિય ઓપરેશન ગ્રુપ તૈયાર કર્યું. બાદમાં આંતકીઓ સાથે તેમની અથડામણ થઈ હતી. જે અથડામણમાં સેના દ્વારા એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. સેના દ્વારા જ્યારે તેની ઓળખ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે તે જૈશનો ટોપ કમાન્ડર હતો.HS