Western Times News

Gujarati News

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૪ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨ દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં નવા કેસ બાદ કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૨૬ હજાર ૩૪૦ થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૮૭ લોકોના નિધન થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૭૭ લોકો સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨ કેસ સામે આવ્યા છે. તો આણંદમાં બે નવા કેસ નોંધાયા છે. જામનગર, જુનાગઢ, સુરત શહેરમાં એક-એક અને વલસાડ તથા રાજકોટ શહેરમાં ત્રણ-ત્રણ કેસ સામે આવ્યા છે. તો વલસાડ જિલ્લામાં એક દર્દીનું નિધન થયું છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૭૬ છે, જેમાં ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૮ લાખ ૨૬ હજાર ૩૪૦ થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦ હજાર ૮૭ લોકોના નિધન થયા છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૮ લાખ ૧૬ હજાર ૭૭ લોકો સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે ૪ કલાક સુધીમાં ૨ લાખ ૯૬ હજાર ૧૬૦ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી ૬ લાખ ૭૩ લાખ ૫૧ હજાર ૭૪૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.