Western Times News

Gujarati News

ત્રિપુરામાં હિંસા કરનારા હિન્દુ નહીં ઢોંગી છે: રાહુલ ગાંધી

File

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે ત્રિપુરામાં મુસ્લિમો પર ક્રૂરતા આચરવામાં આવી રહી છે. તેમણે પૂછ્યું કે સરકાર ક્યાં સુધી આંધળી અને મૂંગી બની રહેવાનું નાટક કરતી રહેશે. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે હિન્દુ ધર્મના નામે હિંસા કરનારા હિન્દુઓ નથી પરંતુ પાખંડી-ઢોંગી છે.

તાજેતરના સમયમાં કોંગ્રેસનું વલણ સોફ્ટ હિન્દુત્ત્વ તરફ દેખાતું રહ્યું છે. રાહુલ ગાંધી પણ ચૂંટણી દરમિયાન મંદિરોના દર્શન કરતા જાેવા મળ્યા હતા. તાજેતરમાં તેમણે જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણો દેવી માતાના દર્શન કર્યા હતા.એવામાં લાંબા સમય બાદ રાહુલ ગાંધીએ સીધા મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરતાં કેન્દ્ર સામે આકરા પ્રહાર કર્યા હતા. ત્રિપુરામાં અમુક વિસ્તારોમાં ગત દિવસોમાં માહોલ તણાવપૂર્ણ થઈ ગયો હતો. તેના પછી બુધવારે કલમ ૧૪૪ લાગુ કરાઈ હતી.

બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાના વિરોધમાં વિહિપે અહીં રેલી યોજી હતી. આ દરમિયાન મસ્જિદોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હતી. જાેકે પોલીસે તેને અફવા ગણાવી હતી. સ્થાનિકોએ દાવો કર્યો કે મંગળવારે સાંજે નોર્થ ત્રિપુરાના ચામટીલા વિસ્તારમાં અમુક અજાણ્યા લોકોએ મસ્જિદ અને દુકાનોમાં તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.