Western Times News

Gujarati News

નકસલીઓએ ઝારખંડમાં બૉમ્બથી રેલવે ટ્રેક ઉડાવ્યો

ધનબાદ, ઝારખંડના ધનબાદમાં અમુક ઉપદ્રવીઓએ રેલવે ટ્રેક પર વિસ્ફોટક લગાવ્યુ જેનાથી વિસ્ફોટ બાદ એક ડીઝલ એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયુ. આ ઘટના પાછળ નક્સલીઓનો હાથ જણાવવામાં આવી રહ્યો છે.

દૂર્ઘટનાના કારણે ઘણી ટ્રેનોને કેન્સલ કરવી પડી છે. આ બૉમ્બ બ્લાસ્ટમાં કોઈના મોતના સમાચાર નથી પરંતુ રેલવે ટ્રેક ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ઘટના સ્થળે સ્થાનિક પોલિસ, રેલવે સુરક્ષા બળ અને ધનબાદ મંડળના રેલવે અધિકારી પહોંચ્યા છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં નક્સલી ઘટનાઓ વધી રહી છે અને આ ઘટના બાદ તેમણે ધનબાદમાં પોતાની હાજરી નોંધાવવાની કોશિશ કરી છે.

બૉમ્બ વિસ્ફોટ થવાની પુષ્ટ ખુદ રેલવેએ કરી છે. અધિકારીઓએ જણાવ્યુ કે ધમાકો ધનબાદ ડિવીઝનમાં ગરવા રોડ અને બરકાકાના ખંડ વચ્ચે થયો હતો. બૉમ્બ વિસ્ફોટનો સમય શુક્રવારે મોડી રાતે ૧૨.૫૦ મિનિટે જણાવવામાં આવ્યો.

ધમાકાના કારણે એક ડીઝલ લોકોમોટિવ એન્જિન પાટા પરથી ઉતરી આવ્યુ.જાે કે હજુ કોઈ પણ નક્સલી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.