Western Times News

Gujarati News

એવું તે શું થયુ કે કેજરીવાલે કહ્યું, કોંગ્રેસનો કચરો અમે લેવા માગતા નથી

નવી દિલ્હી, પંજાબની મુલાકાતે ગયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. અમૃતસરમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, અમે કોંગ્રેસનો કચરો અમારી પાર્ટીમાં લેવા માંગતા નથી.

નહીંતર સાંજ સુધીમાં કોંગ્રેસના ૨૫ ધારાસભ્યો અને બે થી ત્રણ સાંસદ આમ આદમી પાર્ટીમાં સામેલ હોત. તેમણે કહ્યુ હતુ કે, દરેક પાર્ટીમાં એવુ થતુ હોય છે કે, જેમને ટિકિટ નથી મળતી તે નારાજ થઈ જાય છે.

પાર્ટી તેમને મનાવે છે અને તેમાંના કેટલાક માની જાય છે તો કેટલાક નારાજ થઈને બીજી પાર્ટીમાં જતા રહે છે.કોંગ્રેસના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે પણ અમારે કોંગ્રેસનો કચરો નથી જાેઈતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.