Western Times News

Gujarati News

ભ્રષ્ટાચાર- ગેરવર્તણૂકની ફરિયાદો બાદ એક ઝાટકે ૭૦૦ ટીઆરબી જવાનોને છુટ્ટા કર્યા

અમદાવાદ, ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમ જ ગેરવર્તંણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા સંકળાયેલ ૭૦૦ ટીઆરબી જવાનોનો સફાયો કરી નાંખવામાં આવ્યો છે.

એટલે કે ૭૦૦ જેટલા ટીઆરબી જવાનો કે જેમની સામે ગેરવર્તણૂક, ગેરરીતિની ફરિયાદ હતી. જેના કારણે તેમને તાત્કાલિક ધોરણે છુટા કરાયા છે. જેના કારણે આગામી સમયમાં ૩ વર્ષના કોન્ટ્રાક્ટના આધારે ૭૦૦ ટીઆરબી જવાનની ભરતી કરાશે.

બીજી તરફ, અમદાવાદ ટ્રાફિક પોલીસે ૭૦૦ જેટલા ટીઆરબી જવાનોને તેમની ગેરવર્તંણૂક અને ગેરરીતિના કારણે છૂટા કરતા હવે ટૂંક સમયમાં નવા ૭૦૦ જેટલી ટીઆરબીની ભરતી કરાશે. તમને જણાવી દઈએ કે ટીઆરબી જવાનોની ૩ વર્ષ માટે કોન્ટ્રાકટ ભરતી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.