Western Times News

Gujarati News

વડોદરાના નર્મદા ભવન ખાતે ગાંધીજીના જીવન-કવન અંગે પ્રદર્શન

 

વડોદરા : શહેરના નર્મદા ભવન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા ગાંધીજીના જીવન આધારિત પ્રદર્શનની આયોજન કરાવમાં આવ્યું છે. તા.૨ થી તા.૧૩ ઓકટોબર-૨૦૧૯ દરમિયાન સવારે ૧૦ થી સાંજે ૭ સુધી ગાંધીજી તેમજ ગાંધીજીના પ્રવાસન સ્થળોને આધારિત પ્રદર્શન નીહાળી શકાશે.

સિનિયર ટૂરિઝમ ઓફિસર શ્રી કે.એલ.એન્ટની જણાવ્યુ કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ૧૫૦મી જન્મ જંયતિ નિમિત્તે લોકો ગાંધીજીના જીવનમૂલ્યો અને તેમના જીવન-કવનથી પરિચિત થાય તેમજ ખાસ કરીને યુવાપેઢી તેમના વિચારો વાકેફ થાય અને તેમના વિચારોને આત્મસાત કરે તેવા હેતુથી આ પર્યટન પર્વનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ગાંધીજી સાથે જોડાયેલા સ્થળોને પ્રવાસન સ્થળોને પ્રોત્સાહિત અને વિકસિત કરી શકાશે. તેમજ તેમણે વડોદરાના નગરજનો અને આજુબાજુના વિસ્તારના લોકોને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.