Western Times News

Gujarati News

ઓમિક્રોનના અત્યાર સુધીમાં પાંચ લક્ષણો જોવા મળ્યા

નવી દિલ્હી, કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન અત્યાર સુધીમાં ૯૦ દેશમાં ફેલાઈ ચૂક્યો છે. WHO પણ તેને વેરિએન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં નાખી ચૂક્યું છે. આ વેરિએન્ટ ખુબ જ સંક્રમક છે અને ઝડપથી ફેલાય છે. ઓમિક્રોન સ્ટ્રેનના સ્પાઈક પ્રોટીનમાં ૩૦થી પણ વધુ મ્યુટેશન છે. જે ગત એક પણ સ્ટ્રેનમાં જાેવા મળ્યું નહતું.

એક્સપર્ટનું કહેવું છે કે ઓમિક્રોન ઈમ્યુનિટીથી પણ બચવામાં સક્ષમ છે અને આ જ કારણ છે કે તે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જાે કે ઓમિક્રોનના અત્યાર સુધીમાં તમામ કેસમાં હળવા લક્ષણો જ જાેવા મળ્યા છે. WHO નું એમ પણ કહેવું છે કે ડેલ્ટાની સરખામણીમાં આ વેરિએન્ટથી થનારી બીમારી હળવી રહેશે પરંતુ કોઈ પણ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે.

કોરોનાની ગત લહેરમાં ડેલ્ટા વેરિએન્ટે કહેર મચાવ્યો હતો. ડેલ્ટાના લક્ષણ હળવાથી લઈને ગંભીર સુધી હતા અને તેનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ ખુબ હતી. ડેલ્ટાથી સંક્રમિત દર્દીઓમાં ખુબ તાવ, સતત ઉધરસ, છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સીજન લેવલ અચાનક ઓછું થઈ જવા જેવા લક્ષણો જાેવા મળ્યા હતા.

ઓમિક્રોનના લક્ષણો કઈક અલગ છે અને તેને બિલકુલ નજરઅંદાજ કરવા જાેઈએ નહીં. કોરોનાના પહેલા વેરિએન્ટની જેમ જ ઓમિક્રોનના કારણે વધુ પડતો થાક મહેસૂસ થઈ શકે છે. થાક અને એનર્જીની સાથે હંમેશા આરામ કરવાનું જ મન થયા કરે છે. જેના કારણે રોજબરોજના કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

જાે કે એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે આ થાકના અન્ય કારણો પણ હોઈ શકે છે. આ માટે તમારે યોગ્ય કારણ જાણવા કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જાેઈએ. દક્ષિણ આફ્રિકાના ડોક્ટર એન્જેલિક કોએત્ઝીનું કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીના ગળામાં ખરાશની જગ્યાએ કઈક ખટકવાનો અનુભવ થઈ રહ્યો છે. જે અસામાન્ય છે. ગળામાં ખારાશ અને ખટકવું એ ઘણી હદે એક પ્રકારે જ લાગતું હોય છે.

ગળામાં કઈંક ખટકવું કે બળતરા કે પછી કઈંક ખૂંચવા જેવું મહેસૂસ થાય છે. જ્યારે ગળાની ખારાશમાં દુઃખાવો વધુ હોય છે. કોવિડ-૧૯ના સામાન્ય લક્ષણોમાંથી એક તાવ છે. કોરનાના ગત વેરિએન્ટમાં હળવાથી લઈને તેજ તાવના લક્ષણો જાેવા મળ્યા હતા. ડોક્ટર કોએત્ઝીના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના દર્દીઓને હળવો તાવ આવે છે જે આપોઆપ ઠીક થઈ જાય છે.

દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે ઓમિક્રોનના લક્ષણોમાં બે નવી વાત સામેલ કરી છે. પહેલી એ કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિને રાતના સમયે પરસેવો આવે છે. રાતે આવનારો આ પરસેવો એટલો વધુ પડતો હોય છે કે તેનાથી તમારા કપડાં કે બિસ્તર પણ ભીના થઈ જાય છે. ભલે તમે કોઈ ઠંડી જગ્યા પર સૂતા હોવ. આ સાથે જ સમગ્ર શરીરમાં ખુબ દુઃખાવો મહેસૂસ થઈ શકે છે. ઓમિક્રોનના દર્દીઓને સૂકી ઉધરસ પણ થઈ શકે છે.

આ એક એવું લક્ષણ છે જે કોરોનાના અત્યાર સુધીના તમામ સ્ટ્રેનમાં જાેવા મળ્યું છે. સામાન્ય રીતે આ સૂકી ઉધરસ ગળામાં ખરાશ સાથે આવે છે. અત્યાર સુધીમાં મળેલા ડેટા મુજબ ઓમિક્રોનમાં હળવા લક્ષણ જ મહેસૂસ થાય છે. કેટલાક લક્ષણો એવા પણ છે જે કોરોનાના ગત વેરિએન્ટમાં જાેવા મળ્યા હતા.

પરંતુ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીમાં જાેવા મળતા નથી. જેમ કે નવા વેરિએન્ટમાં ન તો દર્દીને ભોજનના સ્વાદ કે સુગંધની કોઈ સમસ્યા થઈ રહી છે કે ન તો નાક બંધ થઈ જવાનું કે ભારે થઈ જવા જેવા લક્ષણો મહેસૂસ થાય છે. ઓમિક્રોનના દર્દીઓને બહુ તાવ પણ આવતો નથી. દર્દીમાં શ્વાસ સંબંધિત કોઈ મુશ્કેલી પણ જાેવા મળી રહી નથી.

કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટમાં શ્વાસ ચડવા જેવી સમસ્યા જાેવા મળી રહી હતી પરંતુ ઓમિક્રોનમાં એવું નથી. એમ્સના કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર એમ્સના ડૉ પુનેટ મુસરાનું કહેવું છે કે કોવિડ-૧૯ના મોટાભાગના કેસમાં વાયરસ ફેફસામાં જઈને અનેક ગણો વધે છે જેના કારણે શ્વાસની સમસ્યા થાય છે.

પરંતુ ઓમિક્રોનના કેસમાં એવું લાગી રહ્યું છે કે જાણે આ વાયરસ ગળામાં વધી રહ્યો હોય. ક્યારેક ક્યારેક વાયરસ પોતાના મૂળ સ્ટ્રેનથી અલગ લક્ષણ દર્શાવે છે અને ઓમિક્રોન સાથે પણ કઈક આવું જ થાય છે. ઓમિક્રોનમાં શ્વાસ સંલગ્ન કોઈ સમસ્સયા એટલા માટે નથી થઈ રહી કારણ કે તે કદાચ ફેફસામાં જઈને વધવાનું કામ કરતો નથી. તેના કારણે ફેફસા પર ઓમિક્રોનની અસર ખુબ ઓછી પડી રહી છે.

ડોક્ટર મુસરાનું કહેવું છે કે ઓમિક્રોન ગળામાં વધે છે એટલે તેનાથી ગંભીર ન્યૂમોનિયા નહીં થતો હોય. ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટાથી પણ હળવા હોય છે. પરંતુ તે ગત વેરિએન્ટની સરખામણીમાં ૭ ગણો વધુ ફેલાનારો છે. તેનો અર્થ એ છે કે તે વધુ લોકોને પ્રભાવિત કરી શકે છે. પરંતુ તેના ગંભીર લક્ષણો, હોસ્પિટલમાં દાખલ કે મોતના કેસ ઓછા આવવાની સંભાવના છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.