Western Times News

Gujarati News

મુંબઈમાં કોરોનાના ૨૪ કલાકમાં ૪૯૦ નવા કેસ નોંધાયા

મુંબઈ, મહારાષ્ટ્રમાં હવે ફરી એકવાર કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. રાજ્યમાં ૧૨૦૧ નવા કોરોના કેસ નોંધાયા છે, ત્યારે મુંબઈમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે ૨૦૪ અને મંગળવારે ૩૨૭ નવા કેસ નોંધાયા બાદ સીધા ૪૯૦ કેસ નોંધાયા હતા. જાે કે રાહતની વાત એ છે કે કોરોનાથી કોઈ દર્દીનું મોત થયું નથી.

સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો સામે આવ્યા બાદ હવે કોરોનાના કેસોએ પણ ચિંતા વધારી દીધી છે. પાછલા દિવસની સરખામણીએ રાજધાનીમાં ૧૬૦ થી વધુ કેસ જાેવા મળ્યા છે. બુધવારે રાજ્યમાંથી ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં ઝડપથી ફેલાતા નવા પ્રકારના કુલ ૬૫ કેસ મળી આવ્યા છે. જેમાંથી ૩૫ દર્દીઓને રજા આપવામાં આવી છે.

બીજી તરફ મુંબઈમાં આજે ૪૯૦ કેસ નોંધાયા પછી રાજધાનીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૭ લાખ ૬૮ હજાર ૧૪૮ પર પહોંચી ગઈ છે, જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ૧૬,૩૬૬ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪૫,૦૧૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં શહેરમાં આ સંખ્યા ૧,૩૨,૯૧,૭૧૭ થઈ ગઈ છે. અહીં, ૨૨૯ કોરોના દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મુંબઈમાં હાલ ૨,૪૧૯ સક્રિય કેસ છે.

મુંબઈમાં અત્યાર સુધીમાં ૭,૪૬,૭૮૪ દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ ૯૭ ટકા છે. ૧૫ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બરની વચ્ચે સંક્રમણનો એકંદરે વૃદ્ધિ દર ૦.૦૩ ટકા હતો, જ્યારે કેસ બમણા થવાનો દર ૧,૯૬૨ દિવસ હતો. મુંબઈમાં ૧૪ સીલ કરેલી ઇમારતો છે,HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.