અતરંગી રે પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ
મુંબઈ, ૨૪ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થયેલી સારા અલી ખાન, અક્ષય કુમાર, ધનુષની ફિલ્મ અતરંગી રે..ને લઈને વિવાદ વધી રહ્યો છે.
આ ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ ટિ્વટર પર મુકવામાં આવી રહ્યો છે. ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગણી ઉઠી રહી છે ટિ્વટર પર બોયકોટ અતરંગી રે..ટ્રેન્ડ થઈ રહ્યુ છે.
ફિલ્મમાં અક્ષય કુમાર એક મુસ્લિમનો અને સારા અલી ખાન હિન્દુનો રોલ ભજવી રહ્યા છે.ફિલ્મમાં સારા અલી ખાનનુ નામ રિન્કુ અને અક્ષય કુમારનુ નામ સજ્જાદ છે.રિંન્કુની માતા તરીકે પણ સારા ડબલ રોલ માં છે અને તે સજ્જાદના પ્રેમમાં હતી.તેના કેટલાક સીનને લઈને યુઝર્સ વાંધો ઉઠાવી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરી છે કે, લવ જેહાદ રોકવી હશે તો સૌથી પહેલા આ પ્રકારની ફિલ્મો પર લગામ કસવી પડશે.
અન્ય એક યુઝરે લખ્યુ હતુ કે, બોલીવૂડમાં હંમેશા હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેને બદનામ કરાય છે.હિન્દુઓ શાંતિથી આ સહન કરતા આવ્યા છે અને તેના કારણે બોલીવૂડ હિન્દુઓને કાયર સમજવા માંડ્યુ છે. એક યુઝર અક્ષય કુમાર પર કોમેન્ટ કરતા કહ્યુ છે કે, અક્ષય કુમારને ઘણા લોકો રાષ્ટ્રવાદી કહે છે પણ તે વારંવાર આ પ્રકારના રોલ ભજવીને હિન્દુ ધર્મ પર જ સવાલો ઉઠાવતો હોય છે.SSS