Western Times News

Gujarati News

ઔડા દ્વારા પહેલીવાર સાણંદમાં આવાસ યોજનાના મકાનો બનશે

(એજન્સી) અમદાવાદ, ઔડા દ્વારા સાણંદમાં ઈડબલ્યુ એસના મકાનો બાંધવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સાણંદમાં પહેલીવાર ઔડાના આવાસો બનશે. સાણંદની ટીપી ૪ એ એફપી ૩૧ પર આ આવાસો બનાવવામાં આવશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમુહુર્ત કર્યુ હતુ.આવાસો માટેની જાહેરાત હજુ થવાની બાકી છે. જાહેરાત થયા બાદ જ ફોર્મ મળી શકશે.

અંદાજીત એક મહિનાની અંદર નવા આવાસો માટે ઔડા દ્વારા જાહેરાત કરવામાં આવશે. જાે કે મેજાેરીટી સિવાય કેટલાંક જરૂરીયાત ને ધ્યાનમાં રાખીને જ અલઆઈજી ના મકાનોમાં રહેવાનુૃ આયોજન કરતા હોય છે. પરંતુ એલ.આઈ. જી.ના મકાનો માટે કોઈ આયોજન સાણંદના આવાસોમાં હજુ સુધી કરાયુ નથી. આ પહેલાં સપ્ટેમ્બર ર૦૧૮માં ઔડા દ્વારા ઈડબલ્યુએસ અને અલઆઈજી ના ૪પપ આવાસ નું આયોજન કરાયુ હતુ. જેમાં ર૦૦ થી વધુ એલઆઈજીના આવાસો હતા પરંતુ સાણંદમાં ફક્ત ઈડબલ્યુ એસના આવાસોનેું જ અત્યાર પુરતુ આયોજન કરવામાં આવ્યુ છે.

ગત વખતે ઈડબલ્યુેએેસના મકાનો માટે વાર્ષિક આવક મર્યાદા રૂા.૩ લાખ હતી જે આ વર્ષે પણ એટલી જ રાખવામાં આવી છે. આ ઉપરાંત રૂા.૧૦૦થી ર૦૦ રૂપિયાની કિૃમતમાં ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાણંદમાં અત્યાર પૂરતુ ૭ માળના મકાનો બનાવાવનુૃ આયોજન છે જેને લઈને પ્લાનિંગ ડીપાર્ટમેન્ટ અને અમલીકરણ શાખા દ્વારા ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે.

જાે કે હવેથી ભોગવટો મળે તે હેતુથી ઔડાએ ર૬ મી જાન્યુઆરી એ દસ્તાવેજાે કરી આપવાનો નિર્ણય લીધો છે. જે કારણે આ વખતે વધુ સંખ્યામાં ફોર્મ ભરાય એવી પણ શક્યતાઓ છે. કેમ કે આ પહેલાં ઔડા દ્વારા દસ્તાવેજ કરાવવામા આવ્યા નહોતો. જેથી લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ઔડાએ આ નિર્ણય લીધો છે જેનો લાભ જૂના અને નવા આવાસોના લાભાર્થીઓને પણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.