Western Times News

Gujarati News

બજેટમાં ખેડૂતો માટે ખુશખબર! ખેડૂતોને એમએસપી માટે ૨.૭ લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે

Files Photo

નવીદિલ્હી, વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં કેન્દ્રિય નાણામંત્રી ર્નિમલા સિતારણએ જગતના તાત માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે આ વખતનું બજેટ ખુશખબરી લઈને આવ્યું છે. બજેટ રજૂ કરતા નાણાં મંત્રીએ કહ્યું કે ગંગા નદીના કિનારે ૫ કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.

એટલું જ નહીં ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના પીપીપી મોડમાં શરૂ કરવામાં આવશે. આવો જાણીએ નાણામંત્રીએ ખેડૂતો માટે અન્ય કઈ જાહેરાતો કરી.

નાણામંત્રી ર્નિમલા સીતારમણ આજે સંસદમાં દેશનું બજેટ રજૂ કરી રહ્યા છે, જેમાં તેમણે ખેડૂતોને લગતી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે રેલ્વે નાના ખેડૂતો અને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવા ઉત્પાદનો અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ સેવા બનાવશે.

આ ઉપરાંત ગંગા નદીના કિનારે ૫ કિલોમીટર પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર દેશમાં કેમિકલ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. એટલું જ નહીં ખેડૂતોની આવક વધારવા માટે આ યોજના પીપીપી મોડમાં શરૂ કરવામાં આવશે.

બજેટ ૨૦૨૨ લાઈવ અપડેટ્‌સ રજૂ કરતાં નાણાં મંત્રીએ કહ્યું કે કેન-બેતવા રિવર લિંકિંગ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવશે. કેન-બેતવા નદીને જાેડવા માટે ૧૪૦૦ કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ સાથે અમે ફળો અને શાકભાજીના ખેડૂતો માટે પેકેજ લાવીશું.

તે જ સમયે, કૃષિ પર વાત કરતા, નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોને એમએસપી માટે ૨.૭ લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.સરકાર તેલીબિયાંની ખેતીને પ્રોત્સાહન આપશે. સરકાર દ્વારા ખેડૂત ડ્રોનનો પણ પ્રચાર કરવામાં આવશે. સરકાર લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂ. ૨.૩૭ લાખ કરોડ ચૂકવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.