Western Times News

Gujarati News

ભિલોડા સરકારી તાલુકા પુસ્તકાલયમાં પુસ્તકોનું પ્રદર્શન યોજાયુ

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયમાં “ આઝાદી કા અમૃત મહોત્સવ ” પર્વ નિમિત્તે આઝાદીને લગતા સાહિત્યો, ઝવેરચંદ મેધાણીજી,સ્વામી વિવેકાનંદજીના સાહિત્યોના ૮૦૦ થી વધુ પુસ્તકોનું મહાપ્રદર્શનનું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં જયેન્દ્રકુમાર એમ. મકવાણા (બ્રાન્ચ મેનેજર,બેંક ઓફ બરોડા, ભિલોડા), આર.ડી.પરમાર, મદદનીશ ગ્રંથાલય નિયામક,અમદાવાદ વિભાગ, અમદાવાદ,દિનેશભાઈ એન. ચૌહાણ (બેંક ઓફ બરોડા, ભિલોડા), વાચંકોની હાજરીમાં પુસ્તક પ્રદર્શન વાચકો અને જાહેર જનતા માટે પુસ્તક પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન મદદનીશ ગ્રંથપાલ દિનેશભાઈ એચ.પરમાર સહિત ગ્રંથાલય પરીવાર દ્વારા કરાયું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.