Western Times News

Gujarati News

પંજાબને બચાવવા માટે આમ આદમી પાર્ટીજરૂરીઃ ભગવંત માન

ચંડીગઢ, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાર્ટીના તમામ નેતાઓ હવે પૂરો જાેર લગાવવામાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ભગવંત માને શુક્રવારે કહ્યું કે મતદારો પાસે રાજ્યને પરંપરાગત રાજકીય પક્ષોથી બચાવવાની સુવર્ણ તક છે જે છેલ્લા ૭૦ વર્ષથી પંજાબને લૂંટી રહ્યા છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન આડે માત્ર નવ દિવસ બાકી છે.આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનએ અમૃતસરમાં અનેક સ્થળોએ આપ ઉમેદવારો જસવિંદર સિંહ, બલદેવ સિંહ, કુલદીપ સિંહ ધાલીવાલ અને સુખજિંદર રાજ સિંહ લાલી મજીઠિયાના સમર્થનમાં પ્રચાર કર્યો. જનતાને સંબોધતા, પંજાબ આપ વડાએ તેમને અપીલ કરી કે તેઓ પરંપરાગત પક્ષો અને તેમના નેતાઓને મત ન આપે જેમણે રાજ્યને બરબાદ કર્યું છે.

તેમણે કહ્યું કે પંજાબના યુવાનો બેરોજગારી અને યોગ્ય શિક્ષણ માળખાના અભાવને કારણે વિદેશ જવા માટે મજબૂર છે. માને કહ્યું કે આપ એકમાત્ર પાર્ટી છે જે પંજાબને ફરીથી સમૃદ્ધ બનાવી શકે છે અને ૨૦ ફેબ્રુઆરીએ “ઝારુ” (આપનું ચૂંટણી પ્રતીક) નું બટન દબાવવા વિનંતી કરી હતી.

ભગવંત માને કહ્યું હતું કે વિશ્વ પ્રસિદ્ધ હોવા છતાં અમૃતસરમાં હજુ પણ મૂળભૂત આધુનિક સુવિધાઓનો અભાવ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપ સરકારોએ આ સરહદી વિસ્તારમાં શાળા, કોલેજ અને હોસ્પિટલોના વિકાસ માટે કોઈ નક્કર પગલાં લીધા નથી.

મત મેળવ્યા પછી, વંશવાદી સ્થાનિક રાજકીય નેતાઓ દરેક વખતે પોતપોતાના મતવિસ્તારમાંથી ગાયબ થઈ ગયા. આ જ કારણ છે કે અટારી, રાજસાંસી, અજનાલા અને મજીઠીયા મતવિસ્તારો હજુ પણ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.માને લોકોને ખાતરી આપી હતી કે આપ સરકાર વિશ્વ કક્ષાની શાળાઓ બનાવશે અને મહિલાઓને મફત વીજળી, પાણી અને માસિક ભથ્થું આપશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.