Western Times News

Gujarati News

મોકૂફ રખાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ૨૪ એપ્રિલે લેવાશે

ગાંધીનગર, વિવાદોમાં આવેલી બિનસચિવાયલ પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. ૨૪ એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઈ છે. ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષાની જાહેરાત કરીને કહેવાયુ કે, મોકૂફ રખાયેલી બિનસચિવાલય પરીક્ષા હવે ૨૪ એપ્રિલે લેવાશે.

ઉલ્લેખનીય છે કે, ૫૦ દિવસ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે. ચાર વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી હતી.

ત્યારે જીએડીના અધિક મુખ્ય સચિવની વાતચીતમાં જણાવ્યુ કે, ૨ મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. ૧૫-૨૦ દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓ નિરાશા વ્યાપી ગઈ છે. પરીક્ષાઓ વારંવાર મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પડી ભાંગે છે.

તૈયારી કરીને જ્યારે જ્યાર એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. ૪ વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ત્યારે તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી છે. ૧૩ ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.

આ અગાઉ જીએડીના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કહ્યુ કે, ૨ મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. ૧૫-૨૦ દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. ૧૩ ફેબ્રુઆરી યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે હવે ૨ મહિનામાં ફરી પરીક્ષા યોજાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.