Western Times News

Gujarati News

ભગવંત માન ૧૬ માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લેશે

ચંડીગઢ, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જાેરદાર જીત બાદ આપના પંજાબના સીએમ ઉમેદવાર ભગવંત માન ૧૬ માર્ચે શપથ લેશે. તેમણે શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું છે. તેઓ કેજરીવાલ સાથે ૧૩ માર્ચે અમૃતસરમાં રોડ શો પણ કરશે.

ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેજરીવાલ સાથે માનની આ પ્રથમ મુલાકાત છે. આપ નેતા રાઘવ ચઢ્ઢા, જેઓ પાર્ટીના પંજાબ મામલાની દેખરેખ રાખી રહ્યા છે, તેઓ પણ આ બેઠકમાં હાજર હતા.

આમ આદમી પાર્ટીએ ૧૧૭ વિધાનસભા બેઠકોમાંથી ૯૨ બેઠકો પર જીત મેળવી છે. ભગવંત માન પંજાબની ધુરી બેઠક પરથી ૫૮,૨૦૬ મતોના જંગી માર્જિનથી જીત્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.