Western Times News

Gujarati News

અશાંત ધારામાં મકાન ભાડે આપતા પૂર્વે મંજૂરી જરૂરી

અમદાવાદ, રાજ્યમાં હવેથી અશાંત વિસ્તારમાં આવતા વિસ્તારોમાં મકાન ભાડે આપવાનું હશે તો અશાંત ધારાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જાે તેમ નહીં કરવામાં આવે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્ર તાજેતરમાં જ કરવામાં આવ્યો છે.

મકાનની લે-વેચ, ગીરો, બક્ષીસમાં પણ અશાંત ધારાની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરિપત્રથી ઘણી મોટી અસર ભાડાના વેપાર પર પડશે. રાજ્ય સરકારે ૧૧ માર્ચે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે અશાંત વિસ્તારમાં કોમી એક્તા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત અશાંત ધારા ૧૯૯૧ હેઠળ અલ વિસ્તાર સમાવિષ્ટ થયા છે.

આ કાયદા મુજબ સમાવિષ્ટ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે વેચાણ, તબદીલી, બક્ષીસ, અદલ બદલ, ગીરો, લીવ એન્ડ લાઈસન્સથી ભાડે આપવી કે અન્ય રીતે ટ્રાન્સફર કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવાની રહેશે. કલેક્ટરની પૂર્વ મંજૂરી મળ્યા પછી જ મિલકત તબદીલ ટ્રાન્સફર કરી શકાય છે.

અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં પ્રોપર્ટીને ભાડેથી આપવા, બક્ષીસ, ગીરો કે અન્ય કઈ રીતે વિધર્મઓને તબદીલ કરેલ હોય તેનું ધ્યાને આવેલું છે. જેના કારણે સમયાંતરે બેકોમ વચ્ચે ઘર્ષણ થવા અંગેના બનાવો ખાસ કરીને સુરત શહેરમાં બનવા પામ્યા છે.

આથી અશાંત ધારા કાયદા હેઠળ સમાવિષ્ટ તમામપ્રકારની મિલકતોના કોઈપણ પ્રકારે વેચાણ કે બક્ષીસ, અદલાબદલી, લીઝ, ગીરો, લીવ એન્ડ લાઈસન્સ કે અન્ય કોઈપણ પ્રકારે નોટરાઈઝ્‌ડ કે એફીડેવીટ કરતા પહેલાં અશાંત ધારા કાયદા હેઠળની જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા કિસ્સામાં એફિડેવિટ કે નોટરીની કાર્યવાહી કરવાની રહેશે.

અશાંત ધારાની પૂર્વ મંજૂરી વગર કાર્યવાહી કરવી એ ગુનો બનશે. આ કાયદાનો કડક અમલ કરાવવા તમામ એડવોકેટ અને નોટરીને પણ કહેવામાં આવ્યું છે. ઉપરોક્ત પરિપત્રનો અમલ ફક્ત સુરત માટે હતો પરંતુ રાજ્ય સરકારે તેનો અમલ હવે સમગ્ર રાજ્યના તમામ અશાંત વિસ્તારોમાં કરવાનો આદેશ કર્યો છે. અત્યાર સુધી દસ્તાવેજ કરતા પહેલાં જ અશાંત ધારાની પરવાનગી ફરજિયાત હતી.

હવે મકાન બાડે આપતા તથા એફડેવિટ કરતા પહેલા અશાંત ધારાની પરવાનગી ફરજિયાત બનાવી દેવાઈ છે. રાજ્ય સરકારના આ ર્નિણયની અસર ખૂબ જ મોટી થાય તેમ છે. છેલ્લા ૨૨ વર્ષમાં ૨૦૦૨માં તોફાનોને બાદ કરતાં રાજ્યમાં એક પણ તોફાન થયા નથી.

તેમજ અશાંત ધારાના કાયદાનો અમલ કરાવવો હોય તો હિન્દ મુસ્લિમ વચ્ચે થતા દસ્તાવેજાે માટે જરુરી છે. પરંતુ હિન્દુ હિન્દુ અને મુસ્લિમ મુસ્લિમ વચ્ચે સોદામાં અશાંત ધારાની પરવાનગી બિન વ્યવહારું જણાય છે. તેમ કેટલાક એડવોકેટનું માનવું છે.

બાપ-દાદાની મિલકત હવે લઘુમતીના બની ગયેલા વિસ્તારમાં આવી હોય તો તેને દરેક વખતે ભાડે આપતા સમયે મંજૂરી લેવાની રહેશે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં ૬૦ ટકા વિસ્તાર અશાંત ધારા હેઠળ આવરી લેવાયો છે. જેમાં ૫૦૦ મીટરની મર્યાદાનો કાયદો પણ ગુંચવણ ભર્યો છે. ક્યો વિસ્તાર ૫૦૦ મીટરમાં નથી આવતો કે ક્યું મકાન ૫૦૦ મીટરમાં નથી આવતું તે સ્પષ્ટીકરણ માટે કોઈ તૈયારી નથી.

તેના કારણે ઘણીવાર અધિકારીઓ અને લોકો વચ્ચે પણ વિવાદ થાય છે. આ ઉપરાંત ઘણા કોમ્પ્લેક્સમાં જુદા જુદા ધર્મના લોકોએ ફાઈનાન્સ કરી ઓફિસ રાખી છે. હવે આ લોકોએ પણ ઓફિસ ભાડે આપતા પૂર્વે કલેક્ટરની મંજૂરી લેવી પડશે. કલેક્ટર કચેરીના અધિકારીના જણાવ્યા મુજબ અશાંત ધારા વિસ્તારમાં આવતી મિલકતમાં જાે પૂર્વ મંજૂરી નહીં લેવાઈ હોય તો પાવર ઓફ એટર્ની માન્ય ગણવામાં આવશે નહીં. તેમજ નોટરીને પણ આવી નોટરી ન કરવા માટે આદેશ કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.