Western Times News

Gujarati News

ખાદ્યપદાર્થોના ભાવ વધશે, ગૃહિણીનું બજેટ ખોરવાશે

નવીદિલ્હી, સામાન્ય જનતા પર ફુગાવાની અસર વધી રહી છે. દૂધ, ચા, કોફી અને મેગી બાદ હવે રોજબરોજની વસ્તુઓના ભાવ પણ વધવાના છે. ઉપભોક્તાઓએ હવે રોજિંદા ઉપયોગની વસ્તુઓ માટે તેમના ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. ઘઉં, પામ ઓઈલ અને પેકેજીંગ સામાન જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે હ્લસ્ઝ્રય્ કંપનીઓ તેમના ઉત્પાદનોની કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે.

આ સિવાય રુસો-યુક્રેન યુદ્ધને કારણે એફએમસીજી કંપનીઓને પણ નુકસાન થયું છે. તેમનું માનવું છે કે આના કારણે ઘઉં, ખાદ્ય તેલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવશે. ડાબર અને પારલે જેવી કંપનીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને ફુગાવાના દબાણનો સામનો કરવા સાવચેતીભર્યા પગલાં લેશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લેએ ગયા અઠવાડિયે તેમના ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. પાર્લે પ્રોડક્ટ્‌સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે ઉદ્યોગ દ્વારા કિંમતોમાં ૧૦ થી ૧૫ ટકાના વધારાની અપેક્ષા રાખીએ છીએ.”

તેમણે કહ્યું કે કિંમતોમાં ભારે વધઘટ છે. આવી સ્થિતિમાં ભાવ વધારો કેટલો થશે તે અત્યાર સુધી કહેવું મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે પામ ઓઈલની કિંમત ૧૮૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. હવે તે ઘટીને ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. એ જ રીતે, પ્રતિ બેરલ ઇં ૧૪૦ પર ગયા પછી, કાચા તેલની કિંમત ઇં ૧૦૦ પર આવી ગઈ છે.શાહે કહ્યું, “જાે કે, કિંમતો હજુ પણ પહેલા કરતા વધારે છે.”

શાહે કહ્યું, “હવે દરેક ૧૦-૧૫ ટકા વૃદ્ધિની વાત કરી રહ્યા છે. જાે કે ઉત્પાદન ખર્ચમાં ઘણો વધારો થયો છે.તેમણે કહ્યું કે પારલે પાસે હાલ પૂરતો સ્ટોક છે. કિંમતો વધારવાનો ર્નિણય એક-બે મહિનામાં લેવામાં આવશે. ડાબર ઈન્ડિયાના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અંકુશ જૈને આ અભિપ્રાયનો પડઘો પાડતા જણાવ્યું હતું કે ફુગાવો સતત ઊંચો છે અને તે સતત બીજા વર્ષે ચિંતાનું કારણ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.