Western Times News

Gujarati News

દિલ્હીથી જમ્મુ જઈ રહેલુ સ્પાઈસ જેટનુ પ્લેન વિજળીના થાંભલા સાથે અથડાયુ: કોઈ જાનહાનિ નહીં

નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટ પર સોમવારે સવારે હોબાળો મચી ગયો, મુસાફરથી ભરેલુ એક વિમાન પુશબેક દરમિયાન વિજળીના થાંભલા સાથે અથડાયુ. જોકે કોઈ દુર્ઘટના ઘટી નથી અને કોઈ પણ મુસાફરને ઈજા પહોંચ્યાના સમાચાર નથી.

જાણકારી અનુસાર આજે સવારે 9.26 વાગે આ ઘટના ઘટી. સ્પાઈસજેટની એક ફ્લાઈટ દિલ્હીથી મુસાફરને લઈને શ્રીનગર માટે જઈ રહી હતી. પેસેન્જર ટર્મિનલથી વિમાન જે સમયે રનવે માટે જઈ રહ્યુ હતુ તે સમયે પુશબેક દરમિયાન તે એક વિજળીના થાંભલા સાથે અથડાયુ.

આ દરમિયાન વિમાનમાં મુસાફર સવાર હતા. જોકે તેમને કોઈ પ્રકારના નુકસાનની જાણકારી નથી. ઘટનાની માહિતી મળતા જ સ્પાઈસજેટે વિમાન બદલ્યુ જે બાદ ઉડાન ભરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.