Western Times News

Gujarati News

જ્યોરિતાદિત્ય સિંધિયા વડા પ્રધાન મોદીને પરિવારસહ મળ્યા

નવીદિલ્હી, કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પરિવાર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમની માતા માધવી રાજે, પત્ની પ્રિયદર્શિની રાજે અને પુત્ર આર્યમન સિંધિયા હાજર હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પર મીટિંગની એક તસવીર પણ શેર કરી છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ પીએમ મોદીએ બીજેપી સાંસદોને સંબોધિત કરતા કહ્યું હતું કે તેઓ પરિવારવાદના સખત વિરોધમાં છે. એટલું જ નહીં, મોદીએ સ્પષ્ટતા કરી કે ચૂંટણીમાં પાર્ટીના નેતાઓના બાળકોને ટિકિટ ન મળવા પાછળનું કારણ તેઓ છે. આ નિવેદન બાદ સાંસદના બીજેપી નેતાઓની ચિંતા વધી ગઈ છે.

મધ્ય પ્રદેશમાં દોઢ વર્ષ બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશના ઘણા નેતાઓ તેમની આગામી પેઢીને રાજકારણમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. બુધવારે સિંધિયા તેમની માતા અને પત્ની સાથે તેમના પુત્રને પણ પીએમ મોદીને મળવા ગયા હતા.

જાેકે, હજુ સુધી આ માહિતી મળી નથી કે સિંધિયા પરિવાર પીએમ મોદીને મળવા કેમ આવ્યો? આ બેઠક અંગત કારણોસર હતી કે રાજકીય?

જ્યોતિરાદિત્ય સિંધિયા માર્ચ ૨૦૧૯માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા હતા. ગયા વર્ષે જુલાઈમાં તેમને મોદી સરકારની કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. કેબિનેટ વિસ્તરણ દરમિયાન તેમને નાગરિક ઉડ્ડયન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયેલા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેઓ તેમના ક્ષેત્રમાં સક્રિય છે.

જાેકે, સિંધિયાના પુત્ર આર્યમનની રાજકીય કારકિર્દી શરૂ થઈ નથી. ઉલ્લેખનીય છે કે સિંધિયા પરિવારમાં પુત્રો અને પુત્રીઓ દ્વારા રાજકીય વારસો સંભાળવાની પરંપરા રહી છે. આ પ્રમાણે માનવામાં આવે છે કે આર્યમાન સિંધિયાની રાજનીતિમાં એન્ટ્રી બહુ જલ્દી થઈ શકે છે. જાે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો જુનિયર સિંધિયા ઘણા પ્રસંગોએ લોકોની વચ્ચે જાેવા મળ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.