Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૧ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૧૧ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૭ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૨,૮૮૬ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવી રેટ પણ સુધરીને ૯૯.૧૦ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૭૧,૭૮૧ રસીના ડોઝ અપાયા હતા.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૭૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૭૪ નાગરિકો સ્ટેબલ છે. તો બીજી તરફ ૧૨,૧૨,૮૮૬ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જાે કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ ૧૦૯૪૨ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

નવા આવેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ ૩, વડોદરા કોર્પોરેશનમાં ૩, ગાંધીનગર ૧, રાજકોટ કોર્પોરશન ૧, સુરત ૧, સુરત કોર્પોરેશન ૧, વડોદરા ૧ એમ કુલ ૧૧ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૨૨૪૧ ને રસીનો પ્રથમ જ્યારે ૧૭૩૭૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૧૯૬ ને પ્રથમ અને ૫૯૧૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

૧૩૧૮૪ ને પ્રીકોર્શન ડોઝ જ્યારે ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૩૧૮૬૮ ને પ્રથમ ડોઝ અપાય હતો. આ પ્રકારે કુલ ૭૧,૭૮૧ રસીના ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૦,૬૧,૬૨,૮૧૭ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.