Western Times News

Gujarati News

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા ભાજપ નફરત ફેલાવે છેઃ શરદ પવાર

મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” દ્વારા ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોના હિજરત અંગે “પ્રચાર” ફેલાવીને દેશમાં “ઝેરી વાતાવરણ” ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. “. દિલ્હી પ્રદેશ એનસીપીના અલ્પસંખ્યક વિભાગના સંમેલનને સંબોધતા પવારે કહ્યું, “આ ફિલ્મોને સ્ક્રીનિંગ માટે મંજૂરી ન આપવી જાેઈતી હતી.

પરંતુ તેમાં ટેક્સમાં છૂટ આપવામાં આવી છે અને જેમની પાસે દેશને એક રાખવાની જવાબદારી છે તેઓ લોકોને આવી ફિલ્મ જાેવાનું કહી રહ્યા છે જેનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠે. છેલ્લા ત્રણ વર્ષમાં દિલ્હીમાં એનસીપીનો આ બીજાે કાર્યક્રમ હતો. પાર્ટી તેના સ્થાપના દિવસની ઉજવણી માટે ૧૦ જૂને રાષ્ટ્રીય રાજધાનીમાં એક મોટો મેળાવડો યોજવાનું પણ આયોજન કરી રહી છે.

પવારે કહ્યું કે, એ વાત સાચી છે કે, કાશ્મીરી પંડિતોએ ઘાટી છોડવી પડી હતી પરંતુ મુસ્લિમોને પણ એ જ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, કાશ્મીરી પંડિતો અને મુસ્લિમો પર હુમલા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો જવાબદાર છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે જાે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ખરેખર કાશ્મીરી પંડિતોની ચિંતા કરે છે, તો તેણે તેમના પુનર્વસન માટે તમામ પ્રયાસો કરવા જાેઈએ અને લઘુમતીઓ વિશે તેમના મનમાં ગુસ્સો ન ઉભો કરવો જાેઈએ.

એનસીપીના વડાએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને ચર્ચામાં ખેંચવા બદલ ભાજપ પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે, જ્યારે વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન હતા ત્યારે કાશ્મીરી પંડિતોએ ખીણ છોડવી પડી હતી. તેમણે કહ્યું, “ભાજપ વીપી સિંહની સરકારને સમર્થન આપી રહી હતી.

મુફ્તી મોહમ્મદ સઈદ ગૃહ પ્રધાન હતા અને જગમોહન, જેઓ બાદમાં દિલ્હીથી ભાજપના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા, તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા.”

પવારે કહ્યું કે ત્નશ્દ્ભના મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ જગમોહન સાથેના મતભેદોને કારણે રાજીનામું આપ્યું હતું અને તે રાજ્યપાલ હતા જેમણે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ખીણમાંથી ભાગવામાં મદદ કરી હતી.તેમણે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પરની ટિપ્પણી માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિશાન બનાવવા બદલ ભાજપની ટીકા પણ કરી હતી.

પવારે કહ્યું, “રાજકીય હિલચાલ આવકાર્ય છે, પરંતુ લઘુમતીઓ વિશે બોલવા બદલ કેજરીવાલની ટીકા કરવામાં આવી હતી. ભાજપ દેશને અલગ રસ્તે લઈ જઈ રહ્યો છે. તે દેશની એકતાને નષ્ટ કરી રહી છે.”HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.