Western Times News

Gujarati News

ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડિયન પોલીસ એક્શનમાં

નવી દિલ્હી, કેનેડિયન પોલીસે ગયા વર્ષે બ્રિટિશ કોલંબિયામાં વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંકળાયેલી કથિત હિટ સ્ક્વોડના સભ્યોની શુક્રવારે ધરપકડ કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સે કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને ટાંકીને આ માહિતી આપી છે.

અહેવાલમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું બહાર આવ્યું છે કે તપાસકર્તાઓએ થોડા મહિના પહેલા કેનેડામાં શંકાસ્પદ લોકોની ઓળખ કરી હતી અને તેમને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. રોયટર્સે જણાવ્યું હતું કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિસાદ મળ્યો નથી.

કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને એવો પણ દાવો કર્યો હતો કે સત્તાવાળાઓ એડમોન્ટનમાં ૧૧ વર્ષના છોકરાની જીવલેણ ગોળીબાર સહિત કેનેડામાં ત્રણ હત્યાઓના સંભવિત જોડાણોની સક્રિયપણે તપાસ કરી રહ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે હિટ સ્ક્વોડના કથિત સભ્યોએ સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારામાં નિજ્જરની હત્યા દરમિયાન શૂટર, ડ્રાઇવર અને જાસૂસ તરીકે વિવિધ ભૂમિકાઓ ભજવી હતી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્‌›ડોએ ઘણી વખત ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેણે તાજેતરમાં ખાલસા દિવસ નિમિત્તે ટોરન્ટોમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા.આવી સ્થિતિમાં ભારતે ફરી એકવાર નિજ્જરની હત્યાને લઈને ટ્‌›ડોના તાજા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ભારત સરકારે કહ્યું છે કે ટ્‌›ડોના નિવેદને ફરી એક વખત દર્શાવ્યું છે કે કેનેડામાં અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય જગ્યા આપવામાં આવી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પીએમ ટ્‌›ડો અગાઉ પણ આવી જ ટિપ્પણી કરી ચૂક્યા છે.

તેમના નિવેદનોએ ફરી એક વખત દર્શાવ્યું છે કે કેનેડામાં ઉગ્રવાદ, કટ્ટરવાદ અને હિંસાને રાજકીય સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આનાથી માત્ર ભારત અને કેનેડાના સંબંધો પર અસર થશે નહીં પરંતુ તેનાથી કેનેડામાં હિંસા અને અપરાધના વાતાવરણને પણ પ્રોત્સાહન મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.