Western Times News

Gujarati News

સુપરસ્ટાર રજનીકાંત પર બાયોપિક બનાવશે નડિયાદવાલા

મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંત ઇન્ડિયન સિનેમાના સૌથી પોપ્યુલર એક્ટર્સમાંના એક છે. છેલ્લાં પાંચ દાયકાથી તેઓ લોકોના દીલ જીતી રહ્યા છે. રજનીકાંતે ૧૭૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમના કેટલાંક રોલ તો લોકોને હંમેશા મજા કરાવે છે.

હવે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવી રહ્યા છે કે બોલિવુડના એક જાણીતા પ્રોડ્યુસરે સુપરસ્ટાર રજનીકાંતના જીવન પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.

‘૮૩’, ‘સુપર ૩૦’, ‘કિક’, ‘ટુ સ્ટેટ્‌સ’ જેવી ફિલ્મો બનાવનાર સાજિદ નડિઆદવાલા આ બાયોપિક પર કામ કરી રહ્યા છે. સાજિદ નડિઆદવાલાએ આ બાયોપિક માટે રસ દાખવ્યો છે અને રજનીકાંતની મંજુરી પણ લઈ લીધી છે.

સાજિદ જ આ ફિલ્મ લખી રહ્યા છે અને તેમણે સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. એક વખત સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય પછી તેના પર આખરી નિર્ણય લેવાશે. રજનીકાંત દ્વારા પ્રાથમિક કામને મંજૂરી આપી દેવાઈ છે. એ વાત પાક્કી છે કે આ એક ઐતિહાસિક ફિલ્મ હશે, આ અંગે રજનીકાંતના ફૅન્સ પણ તેમની સ્ટોરી મોટા પડદે જોવા ઉત્સુક છે.

રજનીકાંત હાલ તેમની ૧૭૦ અને ૧૭૧મી ફિલ્મ ‘વેતૈયાં’ અને ‘કુલી’ માટે કામ કરી રહ્યા છે. ટી.જે. જ્ઞાનવલની ફિલ્મ ‘વેતૈયાં’નું શૂટ ટૂંક સમયમાં પુરું થશે. જ્યારે લોકેશ કનગરાજની ‘કુલી’ ટૂંક સમયમાં ફ્લોર પર જશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.