Western Times News

Gujarati News

જામિયા મસ્જિદમાં આઝાદીના નારા ફરી ગુંજ્યાઃ પોલીસે કેસ નોંધ્યો

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક જામિયા મસ્જિદમાં રમઝાન મહિનાની પ્રથમ શુક્રવારની નમાજ અદા કરવામાં આવી હતી.

આ દરમિયાન મોટી સંખ્યામાં બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓએ આ પ્રાર્થનામાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં ત્યાંથી એક વીડિયો સામે આવ્યો છે જેણે ફરી ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામિયા મસ્જિદમાં નમાજ પૂરી થતાં જ મસ્જિદના મુખ્ય હોલમાંથી ‘હમ ક્યા ચાહતે- આઝાદી’ના નારા ગુંજી રહ્યા હતા. થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જેમાં લોકો ‘આઝાદી’ના નારા લગાવતા જાેવા મળે છે.

નોંધનીય છે કે ૪ માર્ચ, ૨૦૨૨ ના રોજ, લગભગ ૩૦ અઠવાડિયા પછી, વહીવટીતંત્ર દ્વારા લોકોને આ ભવ્ય મસ્જિદમાં સામૂહિક શુક્રવારની નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. શુક્રવારની નમાઝ પહેલાનો ઉપદેશ ઇમામ હૈ સૈયદ અહમદ નક્શબંદીએ આપ્યો હતો કારણ કે મીરવાઇઝ ઉમર ફારૂક નજરકેદ છે.

ઉલ્લેખનીય છે કે મીરવાઈઝ ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ કલમ ૩૭૦ નાબૂદ થયા પહેલા નજરકેદ છે.આ મામલે કાર્યવાહી કરતા એસએસપીશ્રીનગરે કહ્યું કે વીડિયો આવ્યા બાદ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.