અંકલેશ્વરમાં 3 મહિનાથી ગુમ થયેલ બાળકીના પરિવારની SP ડૉ. લીના પાટીલે મુલાકત લીધી.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના અંકલેશ્વર GIDC ખાતે રાજપીપળા ચોકડી પાસેના સિલ્વર સીટી(Silver City) નામના બિલ્ડીંગમાં રહેતા એક પરિવારની ૯ વર્ષીય બાળકી ૩ મહિના થી ગુમ થઈ છે.
ત્યારે બાળકીના પરિવારને હિંમત આપવા માટે ભરૂચ નવનિયુક્ત SP ડૉ.લીના પાટીલ ગુમ થયલે બાળકીના પરિવારની મુલાકત લઈ આશ્વાસન પાઠવવા સાથે પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસની બાહેંધરી આપી હતી.અંકલેશ્વર GIDC રાજપીપળા ચોકડી નજીકના મીરાનગર વિસ્તારના સિલ્વર સીટી બિલ્ડીંગમાં રહેતા પરિવારની ૯ વર્ષીય બાળકી મુસ્કાન ૩૦ મી જાન્યુઆરીના ૨૦૨૨ રોજ ગુમ થઈ હતી.જેની શોધખોળ હજુ ચાલી રહી છે.
ત્યારે તેના પરિવારની મુલાકાતે ભરૂચ નવનિયુકત એસપી ડૉ.લીના પાટીલ પહોંચ્યા હતા અને બાળકી કેવી રીતે?ક્યાંથી? ગુમ થઈ હતી અને કોઈની ઉપર શંકા છે કે કેમ સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર બાળકીના પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી હતી.એસપી બાળકીના પરિવારની વ્હારે આવતા બાળકીના પરિવારને પણ રાહત થઈ હતી.ત્યારે પ્રથમ એસપી એવા હશે જે ગુમ થયેલ બાળકીના પરિવારની મુલાકાતે પહોંચ્યા હશે.