Western Times News

Gujarati News

ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: આકાશમાંથી વરસી અગન વર્ષા

અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૪૮ કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્‌ છે. જાેકે, ત્યારબાદના ૩ દિવસમાં તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આવતીકાલે ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, કચ્છ અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

આ સિવાય મંગળવાર-બુધવારે વલસાડ, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં જ્યારે ગુરુવાર-શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.

આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૨૭થી ૩૦ એપ્રિલ દરમિયાન અમદાવાદમાં તાપમાન ૪૪ ડિગ્રીને પાર જવાની સંભાવના છે. આજે સુરેન્દ્રનગર, ગાંધીનગર, વડોદરામાં પણ તાપમાન ૪૨ ડિગ્રીને પાર નોંધાયું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.