Western Times News

Gujarati News

મુખ્યમંત્રીના હસ્તે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂરને ૧૩૬ કરોડના પ૬ વિકાસ કામોની ભેટ મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા. પ મી મે ના દિવસે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાને રૂ.૧૩૬ કરોડના પ૬ જેટલા વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમૂર્હતની ભેટ આપશે.

મુખ્યમંત્રીશ્રી છોટાઉદેપૂર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા માટે રૂ. ૮૬.ર૧ કરોડની ૪ જૂથ પાણી પુરવઠા યોજનાઓ, ૧ર કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જેટલા રોડ-રસ્તાના કામો તેમજ જિલ્લામાં જુદા જુદા ગામો-સેજામાં રૂ. ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી ર૯ નવી આંગણવાડીઓના લોકાર્પણ
કરવાના છે.

આવતીકાલ, તા.પ મી મે ગુરૂવારે સવારે ૧૦ કલાકે છોટાઉદેપૂરની એસ.એમ. કોલેજના મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમમાં જળસંપત્તિ-પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથાર પણ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી આ કાર્યક્રમમાં છોટાઉદેપૂર જિલ્લા માટે રૂ. ૩૧.પ૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧પ જેટલા રોડ-રસ્તા કામોનું ભૂમિપૂજન પણ કરવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.