Western Times News

Gujarati News

બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર

આ ડ્રગની મદદથી હેલ્થકેર સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો થશે, કારણકે તૈયારી અને એડમિનિસ્ટ્રેશન ટાઈમમાં ઘટાડો થશે

કેન્સરની દવાથી સારવારના સમયમાં થશે ૯૦% ઘટાડો

નવી દિલ્હી,મલ્ટીનેશનલ ડ્રગ મેકર કંપની Roche દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે જેના કારણે મોટી સંખ્યામાં બ્રેસ્ટ કેન્સરથી પીડિત દર્દીઓને તેમજ તેમના પરિવારજનોને રાહત થઈ શકશે. આ ડ્રગ મેકિંગ કંપની દ્વારા બે મોનોક્લોનલ એન્ટિબોડીને ભેગી કરીને એક જ ઈન્જેક્શનમાં રુપાંતરિત કરી છે, જેના પરિણામે સારવારના સમયગાળામાં લગભગ ૯૦ ટકા સુધીનો ઘટાડો થઈ જશે. ઉલ્લેખનીય છે કે કેન્સરની સારવાર ઘણી પીડાદાયક હોય છે, તેવામાં આ નવી પહેલ દર્દીઓને ઘણી રાહત આપી શકશે.

કંપનીના કર્મચારીઓ જણાવે છે કે, PHESGO નામની નવી દવા પણ લોન્ચ કરવામાં આવી છે જે Perjªa અને Herceptinનું સંયોજન છે. આના કારણે સારવારના ખર્ચમાં પણ ૨૦ ટકા જેટલો ઘટાડો જાેવા મળશે. Roche ફાર્મા ઈન્ડિયાના સીઈઓ અને મેનેજીંગ ડિરેક્ટર વી સિમ્પસન ઈમેન્યુઅલ જણાવે છે કે, PHESGO દવા સારવારના સંદર્ભમાં ક્રાંતિ લાવશે, આના કારણે બ્રેસ્ડ કેન્સરથી પીડિત દર્દીના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ દવાની મદદથી તેમણે હોસ્પિટલમાં ઘણો ઓછો સમય દાખલ રહેવું પડશે.

દર્દી અને તેમના સગાઓએ હવે હોસ્પિટલમાં ઓછો સમય પસાર કરવો પડશે અને પોતાના જીવનની અન્ય પ્રવૃત્તિઓમાં વધારે સમય આપી શકશે. આ ડ્રગની મદદથી હેલ્થકેર સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો થશે, કારણકે તૈયારી અને એડમિનિસ્ટ્રેશન ટાઈમમાં ઘટાડો થશે. PHESGOસૌપ્રથમ જૂન ૨૦૨૦માં યુએસ ડ્રગ રેગ્યુલેટર તરફથી માન્યતા મળી હતી. ત્યારપછી ડિસેમ્બર ૨૦૨૦માં યૂરોપિયન મેડિસિન્સ એજન્સી તરફથી પણ માન્યતા પ્રાપ્ત થઈ હતી. ભારતની વાત કરીએ તો ઓક્ટોબર, ૨૦૨૧માં ડ્રગ રેગ્યુલેટર તરફથી માન્યતા મળી હતી. જાન્યુઆરી ૨૦૨૨માં તેને ઈમ્પોર્ટ લાઈસન્સ આપવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ડિસેમ્બર, ૨૦૨૧ સુધી ૧૭૦૦૦થી વધારે બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ PHESGOનો લાભ લઈ ચૂક્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલાઓમાં થતા કેન્સરમાં સૌથી વધારે કેસ બ્રેસ્ટ કેન્સરના હોય છે. જાે કે સમયસર કેન્સરની ઓળખ થઈ જાય અને સારવાર શરુ કરી દેવામાં આવે તો તેનું નિદાન શક્ય છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વર્ષ ૨૦૨૧ના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૦માં ૨.૩ મિલિયન મહિલાઓ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી અને ૬.૮૫ લાખ મહિલાઓના મૃત્યુ થયા હતા.

WHOના રિપોર્ટ અનુસાર, વધુ આવક ધરાવતા દેશોમાં નિદાન થયાના પાંચ વર્ષ પછી જીવિત રહેવાનો દર ૯૦ ટકા છે, ભારતમાં તે ૬૬ ટકા છે અને દક્ષિણ આફ્રિકામાં ૪૦ ટકા છે. પુનેમાં સ્થિત સહ્યાદ્રિ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ઓન્કોલોજી વિભાગના ડિરેક્ટર ડોક્ટર શોના નાગ જણાવે છે કે, કેન્સરની સારવારમાં સંસાધનોની જરૂર પડે છે અને સમય પણ વધારે માંગે છે. દર્દીઓએ ઘણીવાર હોસ્પિટલ આવવું પડે છે અને લાંબી લાંબી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આના કારણે દર્દી, તેમના સગાઓ અને હેલ્થકેર સ્ટાફનું પણ ઘણું કામ વધી જાય છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.