Western Times News

Gujarati News

ડો.વલ્લભભાઇ કથીરિયાએ કાંચી પીઠ જગદ્ગુરુ પ.પૂ. શંકરાચાર્ય સાથે ચર્ચા કરી

હૈદરાબાદની મુલાકાત દરમ્યાન ડો.વલ્લભભાઇ કથીરિયાએ સ્કંધગીરી મંદિર પરિસરમાં કાંચી કોટિ પીઠ જગદ્ગુરુ પ.પૂ. શંકરાચાર્ય શ્રી વિજયેન્દ્ર સરસ્વતિ મહારાજ સાથે ગૌસેવાના વિવિધ આયામો અંગે ચર્ચા કરી આ પ્રસંગે ડો.વલ્લભભાઇ કથીરિયા સાથે ભા.જ.પા. હૈદરાબાદના અગ્રણી

શ્રી સતીશચંદ્ર ડો.ગીતાંજલી અનીલ, શ્રી પુરીષકુમાર, શ્રી અમિતાભ ભટ્ટનાગર તેમજ શ્રી ઈમરાનખાન સમેત ગૌસેવકોની ટીમે પરમ પૂજ્ય શંકરાચાર્યશ્રીના આર્શીવાદ પ્રાપ્ત કર્યા. પ.પૂ. શકરાચાર્યજીએ ગૌસેવાના કાર્યોની વિગત જાણી ખૂબજ પ્રસન્નતા અનુભવી હતી અને સંપૂર્ણ માર્ગદર્શનની ખાત્રી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.