Western Times News

Gujarati News

કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું મહામારીમાં કેટલા મર્યા એ આંકડો આપવાનો નથી

 અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ વર્ષથી જન્મ મૃત્યુના આંકડા આપવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે

અમદાવાદ,મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના અધિકારીઓ તરફથી મૌખિક આદેશો હતા કે મહામારીની બીજી લહેરમાં કેટલા મૃત્યુ થયા તેના આંકડા જાહેર કરવાથી નાગરિકોમાં ભય ફેલાઈ શકે છે અને આવી માહિતી નાગરિકોને આપવાનું અટકાવવું જાેઈએ.

૧૩ એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીનો આ જવાબ હતો, જ્યારે અમદાવાદ શહેરમાં કુલ જન્મ અને મરણની સંખ્યા અંગે નાગરિક દ્વારા માગવામાં આવેલી માહિતી નકારવા બદલ રાજ્ય માહિતી આયોગ દ્વારા તેમને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી.

લગભગ દોઢ વર્ષ સુધી અને અમદાવાદના ઈતિહાસમાં કદાચ પહેલીવાર, નાગરિકોને તેમના શહેરમાં મૃત્યુ અને જન્મની કુલ સંખ્યા જેવી પ્રાથમિક માહિતી મેળવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, અને દાવો કરવામાં આવ્યો હતો કે આ માહિતીને એક્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણ કે તે “થર્ડ પાર્ટી” માહિતી છે, ખાનગી છે અને ખૂબ જ વધારે છે” તેમજ તેનું જાહેર હિત સાથે કોઈ લેવા દેવા નથી.

રાજ્યના માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યુએ નાયબ આરોગ્ય અધિકારી દિવ્યાંગ ઓઝાને શા માટે દંડ ન કરવો જાેઈએ તે અંગે કારણ બતાવો નોટિસ આપ્યા પછી જ આ વર્ષે ૧૧ એપ્રિલે કાલુપુરના રહેવાસી પંકજ ભટ્ટને માસિક આધારે જન્મ-મરણનો ડેટા આપવામાં આવ્યો હતો. અધ્વર્યુએ તેના ૧૦ મેના અંતિમ આદેશમાં નોંધ્યું હતું કે ભટ્ટની અરજી જાહેર હિત”ની હતી અને તે “જન્મ અને મૃત્યુના આંકડા નાગરિકોના સ્વાસ્થ્યની સ્થિતિનું પ્રતિબિંબ છે અને તેને જાહેર ક્ષેત્રમાં મૂકવા જાેઈએ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માહિતીમાં બહાર આવ્યું છે કે મે ૨૦૨૧ માં જ્યારે અમદાવાદમાં કોવિડ કેસની બીજી લહેર ફાટી નીકળી, ત્યારે કોર્પોરેશને ૨૧,૧૮૭ મૃત્યુ નોંધ્યા હતા, જે શહેરમાં એક મહિનામાં સૌથી વધુ મૃત્યુ કેસ છે. જાન્યુઆરી ૨૦૨૦ થી મે ૨૦૨૧ સુધી અમદાવાદમાં જન્મોની માસિક સરેરાશ સંખ્યા, જે ૫,૪૦૦ થી ૬,૫૦૦ ની વચ્ચે હતી, તે જૂન ૨૦૨૧ માં ઘટીને ૨,૬૩૮ થઈ ગઈ હતી.

જે પાછલા નવથી ૧૨ મહિનામાં પરિવારો પર કોવિડની અસર દર્શાવે છે. જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ ની કલમ ૧૯ હેઠળ, રજિસ્ટ્રરે વાર્ષિક મૃત્યુ અને જન્મના આંકડા જાહેર ડોમેનમાં મૂકવા આવશ્યક છે. જાેકે માહિતી ન આપવા અને ‘ઉપરથી ઓર્ડર’ હોવાનો દાવો કરતા ઓઝાના જવાબ પછી, અધ્વર્યુએ તેમને દંડ કર્યો ન હતો.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.