Western Times News

Gujarati News

ટૂંક સમયમાં જ “તારક મહેતા…”માં નવા દયાબેનની એન્ટ્રી થશે

મુંબઇ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મહત્વના પાત્ર દયાબેન ઉર્ફે દિશા વાંકાણી છેલ્લા પાંચ વર્ષથી ગાયબ છે, તેની ગેરહાજરી શોમાં અનુભવાય છે. દયાબેનના ફેન્સ માટે ગુડ ન્યુઝ છે કે હવે ટૂંક સમયમાં દયાબેનની એન્ટ્રી થશે સાથે સાથે સાથે દિશા વાંકાણી દયાબેનના પાત્રમાં પાછા નહીં આવે. Kundali Bhagya Fame Shraddha Arya to Replace Disha Vakani as Dayaben? in Tarak Mehta ka Ultah Chashma.

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

કોઇ બીજી જ અભિનેત્રી દયાબેનના પાત્રમાં રિપ્લેસ થશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો એક પ્રોમો વીડિયો બહાર આવ્યો છે. અને આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે શોમાં દયાબેનની વાપસી થઇ ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

નિર્માતા અસિતકુમાર મોદીએ સ્પષ્ટતાથી એલાન કર્યું છે કે તારક મહેતા શોમાં દયાબેનના પાત્રમાં દિશાની વાપસી નથી થઇ રહી, એક નવી અભિનેત્રી રિપ્લેસ થઇ રહી છે જેના માટે પહેલાથી જ ઓડિશન થઇ રહી છે. હવે લોકોના મનમા સવાલ છે કે નવા દયાબેન કોણ હશે ?

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

દરમિયાન ‘કુંડલિની ભાગ્ય’ ફેમ અભિનેત્રી શ્રધ્ધા આર્યનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે જેમાં એવો સંકેત મળે છે કે શ્રધ્ધા આર્યની દયાબેનના પાત્ર માટે પસંદગી થઇ છે. શ્રધ્ધાએ પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જો કે હજુ સુધી શ્રધ્ધા આર્ય કે મેકર્સે આ બાબતે કોઇ પુષ્ટિ નથી કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.