Western Times News

Gujarati News

દયાભાભીની રિ-એન્ટ્રી ધમાકેદાર થશે: આસિત કુમાર મોદી

મુંબઈ, રિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા પાંચેક વર્ષથી દયાબેન ગાયબ છે. શોના દર્શકો આતુરતાથી દયાબેનના કમબેકની રાહ જાેઈ રહ્યા છે.

થોડા દિવસ પહેલા જ શોના મેકર્સે એક પ્રોમો રિલીઝ કર્યો હતો જેમાં જેઠાલાલની દુકાનના ઓપનિંગ માટે દયા મુંબઈ આવી રહી હોવાના સંકેત મળ્યા હતા. ઓપનિંગ માટે સુંદર ગોકુલધામ સોસાયટી આવ્યો પરંતુ તેની સાથે દયાબેન ના આવતાં જેઠાલાલની સાથે દર્શકો પણ નિરાશ થયા હતા.

મુહૂર્ત સારું ના હોવાથી માએ દયાને ના આવવા દીધી તેમ સુંદરે જણાવતાં જેઠાલાલ અને ગોકુલધામવાસીઓ નિરાશ થયા હતા. જાેકે, આ વખતે દયાને પાછી બોલાવવા જિદ્દ પર અડી ગયેલા જેઠાલાલે સુંદરને ચીમકી આપી દીધી છે કે, બે મહિનામાં દયાને અમદાવાદથી મુંબઈ નહીં મૂકી જાય તો તે ભૂખ હડતાળ કરશે. શોમાં દયાની એન્ટ્રી પહેલા લાવવામાં આવેલો આ ટિ્‌વસ્ટ દર્શકોને ખાસ પસંદ નથી આવ્યો.

તેમણે શોના મેકર્સને ટ્રોલ કરવાના શરૂ કરી દીધા હતા. દયાને બદલે ગોકુલધામ સોસાયટીમાં તેના કટ-આઉટ સાથે આવેલો સુંદર દયાનો અવાજ રેકોર્ડ કરીને લાવ્યો હતો. જાેકે, આ અવાજ પણ દયાનો રોલ કરનારી અભિનેત્રી દિશા વાકાણી નહીં અન્ય કોઈએ ડબ કરેલો હતો.

આ સાંભળીને પણ દર્શકો નિરાશ થયા હતા અને આ મુદ્દે પણ શોના મેકર્સને ટ્રોલ કર્યા હતા. દર્શકોની નારાજગી પર શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ પ્રતિક્રિયા આપી છે. સાથે જ ખાતરી આપી છે કે, દયાબેનની શોમાં ગ્રાન્ડ રિ-એન્ટ્રી બતાવાશે.

આસિત કુમાર મોદીએ ટ્રોલિંગ અંગે કહ્યું, “આ બધો જ સ્ટોરીનો કમાલ છે. અમે દયાબેનને લાવવા પર કામ કરી રહ્યા છીએ પરંતુ તેમાં સમય લાગશે. લોકો શો સાથે લાગણીથી જાેડાયેલા છે એટલે અમને ટ્રોલ કરીને નારાજગી વ્યક્ત કરે તે સ્વાભાવિક છે.

ઓનલાઈન કોમેન્ટ કરતાં ફેન્સ વિશે હું વિચારું છું અને તેમની લાગણીઓને માન આપું છું. દયાભાભી આવશે. દયા તરીકે દિશા વાકાણી આવશે કે કેમ તે અંગે તો શંકા છે પરંતુ જ્યારે પણ દયાભાભી આવશે ત્યારે તેમની એન્ટ્રી ધમાકેદાર હશે તેમ પ્રોડ્યુસરનું કહેવું છે. ”

અમે ચોક્કસથી ઈચ્છીએ છીએ કે દિશા (વાકાણી) દયા તરીકે પાછી આવે. પરંતુ સાથે જ અમે આ રોલ માટે બીજી અભિનેત્રીઓના ઓડિશન પણ લઈ રહ્યા છીએ.

જાે દિશા આવશે અમને આનંદ થશે કારણકે અમારા માટે તે પરિવારનો ભાગ છે. પરંતુ હાલ તો તેનું પાછું ફરવું શક્ય નથી લાગતું માટે જ અમે તેના બદલે બીજા કોઈને આ પાત્ર ભજવવા માટે શોધી રહ્યા છીએ. મેકર તરીકે હું પણ ઈચ્છું છું કે દયા પાછી આવી.

અમારા પ્રયાસ ચાલુ છે. આગામી કેટલાક મહિનામાં દયાભાભી જાેવા મળશે અને બીજું ઘણું જાેવા મળશે. દયાબેન રાતોરાત તો ના આવી જાયને? તે લાંબા સમયથી શોમાંથી ગાયબ છે એટલે અમે તેની જબરદસ્ત રિ-એન્ટ્રી કરાવીશું”, તેમ આસિત મોદીએ વાત પૂરી કરતાં જણાવ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.