Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૨૨૫ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૨૨૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૪૧ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૫,૦૩૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૧ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૭૮,૨૬૧ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૧૮૬ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૬ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૧૧૮૦ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૫,૦૩૩ નાગરિકો હરાવી ચુક્યાં છે.
બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૧૮, વડોદરા કોર્પોરેશન ૨૫, સુરત કોર્પોરેશન ૨૨, સુરત ૧૦, આણંદ ૮, કચ્છ-રાજકોટ કોર્પોરેશન ૫-૫, રાજકોટ-વલસાડ ૪-૪, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન, મહેસાણા અને પાટણમાં ૩-૩ કેસ નોંધાયા હતા. ભરૂચ, નવસારી અને વડોદરામાં ૨-૨ કેસ નોંધાયા હતા. જામનગર કોર્પોરેશન, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયો હતો. આ પ્રકારે કુલ ૨૨૫ કેસ નોંધાયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૬૬૬ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૭૫૪૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૩૭૪ ને રસીનો પ્રથમ અને ૩૪૫૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૩૭૧૫૪ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો.

૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૪૬૨૮ ને રસીનો પ્રથમ અને ૧૨૪૩૪ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૭૮,૨૬૧ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૭,૯૭,૬૬૪ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.